BCCI ચીફ શ્રીનિવાસનને રાજીનામું આપવું પડશે: સૂત્ર
નવી દિલ્હી, 31 મે: બીસીસીઆઇના અધ્યક્ષ પદ પર બિરાજમાન શ્રીનિવાસન માટે સારા સમાચાર નથી. બીસીસીઆઇ સૂત્રોના હવાલેથી કહેવામાં આવી રહ્યું છે કે શ્રીનિવાસનના વિરોધી દળ તેમના વિરૂદ્ધ બહુમત હોવાનો દાવો કર્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ વિરોધી દળે શ્રીનિવાસનના રાજીનામાને લઇને આગામી થોડાં દિવસો સુધી રાહ જોઇ છે. એમ કહેવામાં આવે છે કે જો આગામી થોડાં દિવસોમાં શ્રીનિવાસન રાજીનામું નહી આપે તો તેમના વિરૂદ્ધ જનરલ બોડી મીટિંગ બોલાવવામાં આવશે.
સ્પૉટ ફિક્સિંગ મુદ્દે શ્રીનિવાસન પર રાજીનામાનું દબાણ વધવા લાગ્યું છે. દબાણ એ પ્રકારે છે કે શ્રીનિવાસન માટે પોતાની ખુરશી બચાવી રાખવી હવે લગભગ મુશ્કેલ છે. તેમને બીસીસીઆઇથી બહાર કરવા માટે રાજકીય લાંબી તેજ થઇ ગઇ છે. પહેલાં એવું લાગતું હતું કે તેમની ગાદી ખતરામાં નથી પરંતુ હવે એવું લાગતું નથી.

આ પહેલાંના ઘટનાક્રમમાં ગુરૂનાથ મયપ્પનની સટ્ટેબાજીના આરોપોમાં ધરપકડ ચર્ચા માટે બોર્ડની બેઠક નહી બોલાવવા માટે બીસીસીઆઇ અધ્યક્ષ એન શ્રીનિવાસનની આકરી ટીકા કરનાર બોર્ડ કોષાધ્યક્ષ અજય શિરકેએ કહ્યું હતું કે આ મુદ્દે હું રાજીનામું આપવાનું વિચારી રહ્યો છું. અજય શિરકેએ કાલે નૈતિક આધાર પર શ્રીનિવાસનના રાજીનામા માટે કહ્યું હતું. તેમને કહ્યું હતું કે તે આ નિર્ણય કરતાં પહેલાં તે થોડાં દિવસો રાહ જોશે.












Click it and Unblock the Notifications
