પી.એમ પદ માટે ભાજપમાં 100 વધુ ઉમેદવાર: હરીશ રાવત

તેમને કહ્યું હતું કે 'ભાજપમાં વડાપ્રધાનના પદ માટે 100 વધુ ઉમેદવાર છે. પરંતુ વાસ્તવિકતા એ છે કે તેઓ ફક્ત ચૂંટણી લડતા રહેશે જીતી શકશે નહી. તેમને એક યાદ રાખવી જરૂરી છે કે દેશ તેને જ વડાપ્રધાન બનાવશે જે ધર્મનિર્પેક્ષ અને ઉદાર સ્વભાવનો હશે.
રાવતે કહ્યું હતું કે ભાજપ કે તેના સાથીઓ પાસે એક પણ ઉમેદવાર નથી. તેમના સહયોગી દળમાં એક-બે નેતા એવા છે અથવા તેમને ભૂલાવી દેવામાં આવ્યાં છે અથવા ભાજપ દ્રારા તેમને નજરઅંદાઝ કરવામાં આવી રહ્યાં છે.
ઉલ્લેખનીય છે કે વડાપ્રધાનપદના ઉમેદવારને લઇને એનડીએ ગઠબંધનમાં લાલકૃષ્ણ અડવાણી, સુષ્મા સ્વરાજ, અરૂણ જેટલી, નરેન્દ્ર મોદી અને નીતીશ કુમારના પર ખેંચતાણ ચાલી રહી છે. જો કે ભાજપે વારંવાર એ સ્પષ્ટતા આપી છે કે એનડીએમાં વડાપ્રધાન પદને લઇને કોઇ મતભેદ નથી.












Click it and Unblock the Notifications
