Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

દિલ્હી સરકાર ઝૂંપડપટ્ટીમાં 1 હજાર લગાવશે વોટર ATM, 24 કલાક પાણી મળશે

દિલ્હી સરકાર ટૂંક સમયમાં ઝૂંપડપટ્ટીમાં રહેવાસીઓ માટે પાણીની તંગીનો અંત લાવશે. દિલ્હી જલ બોર્ડ સ્લમ વિસ્તારમાં પાણીની અછતને સમાપ્ત કરવા માટે એક હજાર વોટર ATM સ્થાપિત કરશે.

ઝૂંપડપટ્ટીમાંથી પાણીની અછતને દૂર કરવા માટે દિલ્હી સરકાર ઓગસ્ટ સુધીમાં વોટર ATM સ્થાપિત કરશે. આ વોટર ATM માંથી આ વસાહતોમાં 24 કલાક પાણી ઉપલબ્ધ કરાવવામાં આવશે.

Water ATM

દિલ્હી સરકાર ટૂંક સમયમાં ઝૂંપડપટ્ટીમાં રહેવાસીઓ માટે પાણીની તંગીનો અંત લાવશે. દિલ્હી જલ બોર્ડ સ્લમ વિસ્તારમાં પાણીની અછતને સમાપ્ત કરવા માટે એક હજાર વોટર ATM સ્થાપિત કરશે. દિલ્હીમાં ઓગસ્ટ સુધીમાં એક હજાર વોટર ATM લગાવવામાં આવશે, આ વોટર ATM અલગ અલગ ઝૂંપડપટ્ટીમાં લગાવવામાં આવશે. જેના કારણે આ વસાહતોમાં 24 કલાક પાણી આપવામાં આવશે અને ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકોને ઉનાળાની ઋતુમાં પાણીની અછતમાંથી રાહત મળશે.

ઝૂંપડપટ્ટીમાં લગાવવામાં આવનારા આ વોટર ATM 30 હજાર લીટર પાણીની ક્ષમતાના હશે. તમામ વોટર ATM રિવર્સ ઓસ્મોસિસ સિસ્ટમ (આરઓ)થી સજ્જ હશે. ઝૂંપડપટ્ટીમાં આ નવા વોટર ATM લગાવવાથી ત્યાં રહેતા લોકોને પાણીના ટેન્કરો સામે કલાકો સુધી લાઈનોમાં ઊભા રહેવું નહીં પડે. દિલ્હી જલ બોર્ડ દ્વારા લગાવવામાં આવતા આ વોટર ATM લોકોનો ઘણો સમય બચાવશે.

ઉલ્લેનીય છે કે, દિલ્હી જલ બોર્ડ ઝૂંપડપટ્ટીમાં અથવા જ્યાં પાઇપલાઇન નથી, ત્યાં ટેન્કર દ્વારા પાણી પહોંચાડી રહ્યું છે. જોકે, ઘણી વખત ટેન્કરથી પાણી પુરવઠાને લઈને સમસ્યા સર્જાય છે, કારણ કે સવારે ટેન્કરથી પાણી ન ભરવામાં આવતા લોકોને દિવસભર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આવા સમયે, દિલ્હી જલ બોર્ડના એક ટેન્કરમાં લગભગ 3 હજાર લીટર પાણી આવે છે, જ્યારે વોટર ATM માં તેના કરતા દસ ગણું વધારે એટલે કે 30 હજાર લીટર પાણી આવે છે. હાલમાં દિલ્હીમાં વિવિધ સ્થળોએ લગભગ 90 વોટર ATM કાર્યરત છે.

ઉલ્લેખનીય છે કે, જનાજલ, એક સંસ્થા કે જે સુરક્ષિત પાણીની સેવાઓ પૂરી પાડે છે, તેણે AIIMS અને ભોપુરા ચોક, ગાઝિયાબાદ ખાતેના પોતાના વોટર એટીએમ પર બે વોટર નોલેજ રિસોર્સ સેન્ટર્સ (WKRC) શરૂ કર્યા છે. સંયુક્ત રાષ્ટ્રના સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ (SDG)માં યોગદાન આપતા, ખાસ કરીને 'SDG #6: ક્લીન વોટર એન્ડ સેનિટેશન', આ પહેલ USAID અને સેફ વોટર નેટવર્ક સાથે તેમના પ્રોગ્રામ સસ્ટેનેબલ એન્ટરપ્રાઇઝીસ ફોર વોટર એન્ડ હેલ્થ હેઠળ છે.

WKRC સાથે ડૉ. પરાગ અગ્રવાલ, નોઇડા સ્થિત જનજલના સ્થાપક અને CEO, સમુદાયોમાં વધુ ઊંડે સુધી પહોંચવા અને સલામત પાણીને નાગરિકોના રોજિંદા જીવનનો અભિન્ન ભાગ બનાવવા માગે છે.

પરાગ અગ્રવાલે જણાવ્યું હતું કે, અમે લોકોમાં પાણી અને સ્વચ્છતા સ્વચ્છતાના મહત્વને ઉજાગર કરવા દિલ્હી-NCRમાં વોટર એટીએમની આસપાસ માહિતી શિક્ષણ સંચાર પ્રવૃત્તિઓની શ્રેણી હાથ ધરવાનો ઇરાદો ધરાવીએ છીએ. આમાં જાહેર જનતા સાથે વર્ષના મહત્વના દિવસોની ઉજવણી, મુખ્ય સંદેશાઓ સાથે પેમ્ફલેટનું વિતરણ અને સોશિયલ મીડિયા પર અમારા વીડિયો શેર કરવાનો સમાવેશ થાય છે. સ્થાપિત વોટર એટીએમએસ દ્વારા પાણી, માત્ર રૂપિયા 1 પ્રતિ લીટરના ખૂબ જ પોસાય તેવા દરે જનતાને ઉપલબ્ધ છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X