For Quick Alerts
For Daily Alerts
સરકારે સત્યાગ્રહીઓની માંગો સ્વીકારતા જ પદયાત્રા થંભી ગઇ
સત્યાગ્રહીઓની માંગ અનુસાર સરકાર નવી રાષ્ટ્રીય જમીન સુધારણા નીતિ ઘડવા રાજી થઇ ગઇ છે. કેન્દ્રીય ગ્રામીણ વિકાસ મંત્રી જયરામ રમેશે આગ્રા જઇને આ કરાર પર હસ્તાક્ષર કર્યા છે. સરકારે કુલ મળીને સત્યાગ્રહીઓની 10 મહત્વની માંગોને માની લીધી છે. જેને અમલમાં લાવવા માટે એક ટાસ્ક ફોર્સનું ગઠન કરવામાં આવશે જેની પ્રથમ બેઠક 17 ઓક્ટોબરે મળશે.
આની સાથે જ આ આંદોલનના નેતા અને રાષ્ટ્રીય એકતા પરિષદના અધ્યક્ષ પીવી રાજગોપાલે જહેરાત કરી હતી કે દિલ્હી માર્ચ છ મહીના સુધી મોકૂફ રાખવામાં આવે છે, પરંતુ તેમનું આંદોલન જારી રહેશે.
રાજગોપાલે કહ્યું કે જો સરકારે તેમના વચનો પર અમલ નહીં કર્યો તો ફરીથી દબાણ વધારવામાં આવશે. સમજૂતી અનુસાર જે લોકો પાસે પોતાની જમીન નથી, તેમને મકાન બનાવવા માટે 10 ડિસમિલ જમીન આપવા માટે સરકાર રાજી થઇ ગઇ છે.
Comments
English summary
The government on Thursday agreed to ten demands made by Ekta Parishad, which has been spearheading the movement by the landless poor, who were on a march to Delhi to demand land reforms.
Story first published: Thursday, October 11, 2012, 14:51 [IST]