Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

લઘુમતીઓને સરકારની સલાહ, લોહી વધારવા માટે ગૌમાંસ ખાવ

cow
નવી દિલ્હી, 15 ફેબ્રુઆરી: અજમલ કસાબ અને અફઝલ ગુરૂને ફાંસીને માંચડે લટકાવીને ભાજપ પાસેથી ભાવાનાત્મક મુદ્દો છીનવી લેનાર કેન્દ્ર સરકારે ભાજપના હાથમાં ફરી એકવાર નવો મોટો આપી દિધો છે. કેન્દ્ર સરકારે લધુમતિ કલ્યાણ મંત્રાલયના પુસ્તિકા 'પોષણ' વિવાદોમાં ઘેરાઇ ગઇ છે. સરકારે અલ્પસંખ્યકો અને રાષ્ટ્રીય જનસહયોગ અને બાળ વિકાસ મંત્રાલય યુપીના અલ્પસંખ્યકો વિસ્તારોમાં શરીરમાં ઓક્સિજન અને લોહી વધારવા માટે લીલાં શાકભાજી સાથે મુરખી અને ગાયનું માંસ ખાવાની સલાહ આપી છે. આ વિસ્તારમાં આ પુસ્તિકા વહેંચવામાં આવી રહી છે. મુખ્ય વિપક્ષી પાર્ટી ભાજપે આ મુદ્દે કડક આલોચના વ્યક્ત કરી છે.

મેરઠના મવાનામાં આ મામલો સામે આવતાં ભાજપે ગૌમાંસ ખાવાની સલાહ પર બુધવારે ભાજપના નેતાઓનો ગુસ્સો ફૂટી નિકળ્યો હતો. લધુમતિ કલ્યાણ અધિકારીનો ઘેરાવો કરી ભાજપે નારેબાજી શરૂ કરી દિધી હતી. ભાજપે આગામી સંસદ સત્રમાં આ મુદ્દો ઉઠાવવાની જાહેરાત કરી છે. ભાજપની નારેબાજી બાદ આ સાથે સંકળાયેલ અધિકારીઓએ આ પુસ્તિકા પર પ્રતિબંધ લગાવવાની વાત કહી છે.

મેરઠ સાંસદ રાજેન્દ્ર અગ્રવાલે કહ્યું હતું કે ગાય કરોડો હિન્દુઓની આસ્થાનું પ્રતિક છે. ગાય પ્રત્યે આ પ્રકારની માનસિકતા સહન કરવામાં નહી આવે. મહાપૌર હરિકાંત અહૂવાલિયાએ કહ્યું હતું કે ઉત્તર પ્રદેશમાં ગૌવંશની હત્યા પર પ્રતિબંધ છે, જ્યારે વિભાગીય પુસ્તકમાં ગાયના માંસને આયરન, ઓક્સિજન અને લોહી વધારવા માટે જરૂરી ગણાવવામાં આવ્યું છે.

પ્રદેશ ભાજપ અધ્યક્ષ લક્ષ્મીકાંત વાજપેયે કહ્યું હતું કે યુપીમાં ગૌરક્ષા માટે 2001માં ગૌવંશ નિવારણ અધિનિયમ લાગૂ છે. ત્યારબાદ પણ કોઇ કેન્દ્રિય સરકારના મંત્રાલય દ્રારા આ કાગળોની વહેંચણી આ વાતનું પ્રમાણ છે કે કેન્દ્ર સરકાર ગૌહત્યાને પ્રોત્સાહન આપી રહી છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X