કેજરીવાલનું અપહરણ કરી ભટકલને છોડાવવાનું ષડ્યંત્ર?
નવી દિલ્હી, 20 જાન્યુઆરી: આતંકવાદી સંગઠન ઇન્ડિયન મુજાહિદ્દીનના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના અપહરણનું કાવતરું રચવામાં આવી રહ્યું છે. ગુપ્તચર એજન્સી આઇબીના સૂત્રોના જણાવ્યા અનુસાર આઇબીના સૂત્રોએ આ આશંકા વ્યક્ત કરી છે. રવિવારે આઇબીના ઇનપુટ બાદ અરવિંદ કેજરીવાલની સુરક્ષા અચાનક વધારી દિધી છે. જો કે દિલ્હી પોલીસના ઝેડ કેટેગરી સુરક્ષા પ્રસ્તાવને અરવિંદ કેજરીવાલે નકારી કાઢ્યો છે. આમ આદમી પાર્ટીના નેતા સંજય સિંહે કહ્યું હતું કે પહેલાં જ દિવસ જ પાર્ટીનો સુરક્ષા ન લેવાનો સ્ટંટ રહ્યો છે. આ મુદ્દે પાર્ટી અને અરવિંદ કેજરીવાલ હજુ સુધી અડગ છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર આતંકવાદી સંગઠન ઇન્ડિયન મુજાહિદ્દીન અરવિંદ કેજરીવાલની આસપાસ એકદમ ઓછી સુરક્ષા જોતાં તેમના અપહરણનું કાવતરું રચી રહ્યું છે. પોલીસ સૂત્રોનો દાવો કર્યો છે કે ઇન્ડિયન મુજાહિદ્દીન ગત વર્ષે 27 ઓગષ્ટના ભારત-નેપાળ બોર્ડર પરથી ધરપકડ કરવામાં આવેલા પોતાના મુખ્ય સભ્ય યાસીન ભટકલના છુટકારા માટે અરવિંદ કેજરીવાલના અપહરણનું કાવતરું રચવામાં આવી રહ્યું છે.
રવિવારે દિલ્હી પોલીસને જેવા આઇબીના ઇનપુટ મળ્યા, તરત જ એડિશનલ સીપી અરવિંદ કેજરીવાલને મળવા પહોંચી ગયા. તે સમયે અરવિંદ કેજરીવાલ પાર્ટીની પોલિટિકલ અફેયર્સ કમિટીની બેઠકમાં વ્યસ્ત હતા. સંપૂર્ણ પરિસ્થિતી વિશે અરવિંદ કેજરીવાલને જણાવ્યું અને તેમને ઝેડ કેટેગરીની સિક્યોરિટી ઓફર કરવામાં આવી. આ દરમિયાન કેજરીવાલની સુરક્ષા પણ વધારી દેવામાં આવી.

સૂત્રોના જણાવ્યા અનુસાર અરવિંદ કેજરીવાલે વધારી સુરક્ષા લેવાની મનાઇ કરી દિધી છે. અરવિંદ કેજરીવાલના આ વલણથી દિલ્હી પોલીસની મુશ્કેલીઓ વધી ગઇ છે. અત્રે ઉલ્લેખનીય છે કે અરવિંદ કેજરીવાલ સોમવારથી દિલ્હી પોલીસના ત્રણ કર્મચારીઓને સસ્પેંડ કરવાની માંગને લઇને ધરણાં કરવા જઇ રહ્યાં છે.
અત્રે ઉલ્લેખનીય છે કે શુક્રવારે એક વિશેષ એનઆઇએ કોર્ટે યાસીન ભટકલ પાસે એપ્રિલ 2010માં બેંગ્લોરના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં થયેલા બ્લાસ્ટના મુદ્દે પૂછપરછ માટે કર્ણાટક પોલીસની અરજીને મંજૂર કરી લીધી છે. એનઆઇએએ જણાવ્યું હતું કે ઉત્તર કર્ણાટકમાં ઉડુપી જિલ્લાના ભટકલ ગામનો રહેવાસી યાસીન ભટકલ અમદાવાદ, સૂરત, બેંગ્લોર, પૂણે. દિલ્હી અને હૈદ્વારાબાદના આતંકવાદી હુમલામાં સામેલ છે. તે પહેલાં પ્રતિબંધિત સંગઠન સ્ટૂડેંટ્સ ઇસ્લામિક મૂવમેન્ટ ઓફ ઇન્ડિયા (સીમી) સાથે જોડાયેલા છે.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના









Click it and Unblock the Notifications
