સંસદમાં 22 એપ્રિલ બાદ લોકપાલ બિલ પર ચર્ચા થશે

નારાયણસામીએ અહીં સંપાદકોના રાષ્ટ્રીય સંમેલન દરમિયાન સંવાદાતાઓને કહ્યું હતું કે વિવાદાસ્પદ લોકપાક વિધેયકને અમે સંસદમાં પસાર કરવાનો પ્રયત્ન કરી રહ્યાં છે, સરકારે લોકપાલ પર બહુ કામ કર્યું છે. વિધેયક લોકસભામાં પસાર થઇ ચુક્યું છે. આ રાજ્યસભામાં ગયું જ્યાંથી તેને પ્રવર સમિતિમાં મોકલવામાં આવ્યું.
તેમને કહ્યું હતું કે સમિતિએ પોતાની ભલામણો આપી છે અને હવે મેં રાજ્યસભામાં વિધેયક પર ચર્ચા માટે અનુરોધ કર્યો છે. અમે 22 એપ્રિલ બાદ આ મુદ્દે ચર્ચા માટે તૈયાર છે.
ગત 21 ફેબ્રુઆરીએ શરૂ થયો બજેટ સત્રના પ્રથમ ચરણ 22 માર્ચે સમાપ્ત થશે. હવે એક મહિનાના સમયગાળા બાદ તેનો બીજો તબક્કો 22 એપ્રિલના રોજ શરૂ થશે અને 10 મે સુધી ચાલશે.
તેમને કહ્યું હતું કે ગત 30 વર્ષોથી સરકારોએ લોકપાલને પારિત કરવાનો પ્રયત્ન કર્યો છે જે મુદ્દે આ ખોટી ધારણા બનેલી છે કે અણ્ણા હજારે અને અન્ય લોકોને આંદોલનના કારણે આ મુદ્દે કામ તેજ થયું છે.












Click it and Unblock the Notifications
