દિલ્હીમાં રહેશે મુસલમાનોના વોટ પર બધાની નજર
નવી દિલ્હી, (વિવેક શુક્લા): દેશમાં ચાલી રહેલી મોદી લહેરના લીધે રાજધાનીના મુસલમાન આગામી વિધાનસભા ચૂંટણીમાં ભાજપનો સાથ આપી શકે છે. તે સામાન્ય રીતે કોંગ્રેસની સાથે રહે છે, પરંતુ આ વખતે તે ભાજપની સાથે જઇ શકે છે. ચાંદની ચોક, મટિયા મહેલ, બલ્લીમારાન, વિકાસપુરી, કિરાડી, મુસ્તફાબાદ, ગાંધીનગર, સીમાપુરી, સીલમપુર તથા બાબરપુર એવી વિધાનસભા સીટો છે જ્યાં મુસ્લિમ વસ્તી 61 ટકા છે.
કિરાડીમાં 35, ચાંદની ચોકમાં 21, મટિયામહેલમાં 48, બલ્લીમારાનમાં 38, વિકાસપુરીમાં 21, મુસ્તફાબાદમાં 36, ગાંધી નગરમાં 23, સીમાપુરીમા6 26, ઓખલામાં 43, સીલમપુરમાં 61 તથા બાબરપુરમાં 45 ટકા મુસ્લિમ વસ્તી છે.

દલિત પણ ઓછા નથી
આ સીટો પર દલિતોની વસ્તી પણ 13 થી 30 ટકા સુધીની છે. આ 20 સીટોમાંથી મોટાભાગની કોંગ્રેસના ખોળામાં છે. ફક્ત 2 સીટો કિરાડી અને બાબરપુર જ ભાજપની પાસે છે. જાણકારોનું કહેવું છે કે મુસલમાન કોંગ્રેસથી નારાજ છે. તેમને લાગે છે કે કોંગ્રેસે મુસલમાનોની સાથે હંમેશા દગો કર્યો છે.
મુસલમાનોનો ગઢ
મુસલમાન રાજધાનીમાં 17 વિધાનસભા ક્ષેત્રોની ચૂંટણીના પરિણામોને પ્રભાવિત કરવાની સ્થિતિમાં છે. આ સીટો પર મુસ્લિમ મતદારોની સંખ્યા 15 થી 61 ટકા છે. દિલ્હીમાં મુસ્લિમ કોંગ્રેસના પરંપરાગત મતદાતો રહે છે. મુસલમાન ગત ચૂંટણીમાં કોંગ્રેસને એકતરફી વોટ આપી ચૂક્યાં છે. પરંતુ આ વખતે ભાજપ પણ તેમના વોટ લેવા માટે મહેનત કરી રહી છે. એંગ્લો એરાબિક સ્કુલના ટીચર મકસૂદ અહેમદ કહે છે કે કોંગ્રેસ, સપા અને બસપાએ મુસલમાનોની સાથે દગો કર્યો છે. એટલા માટે તે ભાજપની સાથે જઇ શકે છે.
આ સાથે જ શાહદરા, સંગમ વિહાર, બદરપુર, ત્રિલોકપુરી, સદર બજાર, ઘૌંડા, કરાવલ નગર તથા ગોકળપુર એવી વિધાનસભા સીટો છે જ્યાં મુસ્લિમ વસ્તી 20 ટકા છે. શાહદરામાં 13, ઘૌંડામાં 18, ગોકળપુરમાં 13, સંગમ વિહારમાં 20, બદરપુરમાં 15, ત્રિલોકપુરીમાં 18, કરાવલ નગરમાં 20 તથા સદર બજારમાં 13 ટકા મુસ્લિમ વસ્તી છે. તો બીજી તરફ આ સીટો પર દલિતોની વસ્તી પણ 14 થી 30 ટકા રહી છે. આ 8 સીટોમાંથી ફક્ત કરાવલ નગર તથા ઘૌંડાની સીટ જ ભાજપની પાસે છે.
જાણકારોનું માનવું છે કે રાજધાનીમાં વિધાનસભા ચૂંટણી વિકાસના મુદ્દા પર લડવામાં આવી રહી છે. એટલા માટે મુસલમાન અથવા બાકી સમુદાય ભાજપની સાથે છે. બધાને ગુજરાત મોડલ પસંદ આવી રહ્યું છે. જાણકારોનું કહેવું છે કે મુસલમાનોમાં પરિવર્તનની ઇચ્છા સ્પષ્ટ જોઇ શકાય છે. તે આ વખતે દિલ્હીમાં ભાજપને સાથે આપી શકે છે.
-
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા









Click it and Unblock the Notifications
