દિલ્હીમાં રહેશે મુસલમાનોના વોટ પર બધાની નજર
નવી દિલ્હી, (વિવેક શુક્લા): દેશમાં ચાલી રહેલી મોદી લહેરના લીધે રાજધાનીના મુસલમાન આગામી વિધાનસભા ચૂંટણીમાં ભાજપનો સાથ આપી શકે છે. તે સામાન્ય રીતે કોંગ્રેસની સાથે રહે છે, પરંતુ આ વખતે તે ભાજપની સાથે જઇ શકે છે. ચાંદની ચોક, મટિયા મહેલ, બલ્લીમારાન, વિકાસપુરી, કિરાડી, મુસ્તફાબાદ, ગાંધીનગર, સીમાપુરી, સીલમપુર તથા બાબરપુર એવી વિધાનસભા સીટો છે જ્યાં મુસ્લિમ વસ્તી 61 ટકા છે.
કિરાડીમાં 35, ચાંદની ચોકમાં 21, મટિયામહેલમાં 48, બલ્લીમારાનમાં 38, વિકાસપુરીમાં 21, મુસ્તફાબાદમાં 36, ગાંધી નગરમાં 23, સીમાપુરીમા6 26, ઓખલામાં 43, સીલમપુરમાં 61 તથા બાબરપુરમાં 45 ટકા મુસ્લિમ વસ્તી છે.

દલિત પણ ઓછા નથી
આ સીટો પર દલિતોની વસ્તી પણ 13 થી 30 ટકા સુધીની છે. આ 20 સીટોમાંથી મોટાભાગની કોંગ્રેસના ખોળામાં છે. ફક્ત 2 સીટો કિરાડી અને બાબરપુર જ ભાજપની પાસે છે. જાણકારોનું કહેવું છે કે મુસલમાન કોંગ્રેસથી નારાજ છે. તેમને લાગે છે કે કોંગ્રેસે મુસલમાનોની સાથે હંમેશા દગો કર્યો છે.
મુસલમાનોનો ગઢ
મુસલમાન રાજધાનીમાં 17 વિધાનસભા ક્ષેત્રોની ચૂંટણીના પરિણામોને પ્રભાવિત કરવાની સ્થિતિમાં છે. આ સીટો પર મુસ્લિમ મતદારોની સંખ્યા 15 થી 61 ટકા છે. દિલ્હીમાં મુસ્લિમ કોંગ્રેસના પરંપરાગત મતદાતો રહે છે. મુસલમાન ગત ચૂંટણીમાં કોંગ્રેસને એકતરફી વોટ આપી ચૂક્યાં છે. પરંતુ આ વખતે ભાજપ પણ તેમના વોટ લેવા માટે મહેનત કરી રહી છે. એંગ્લો એરાબિક સ્કુલના ટીચર મકસૂદ અહેમદ કહે છે કે કોંગ્રેસ, સપા અને બસપાએ મુસલમાનોની સાથે દગો કર્યો છે. એટલા માટે તે ભાજપની સાથે જઇ શકે છે.
આ સાથે જ શાહદરા, સંગમ વિહાર, બદરપુર, ત્રિલોકપુરી, સદર બજાર, ઘૌંડા, કરાવલ નગર તથા ગોકળપુર એવી વિધાનસભા સીટો છે જ્યાં મુસ્લિમ વસ્તી 20 ટકા છે. શાહદરામાં 13, ઘૌંડામાં 18, ગોકળપુરમાં 13, સંગમ વિહારમાં 20, બદરપુરમાં 15, ત્રિલોકપુરીમાં 18, કરાવલ નગરમાં 20 તથા સદર બજારમાં 13 ટકા મુસ્લિમ વસ્તી છે. તો બીજી તરફ આ સીટો પર દલિતોની વસ્તી પણ 14 થી 30 ટકા રહી છે. આ 8 સીટોમાંથી ફક્ત કરાવલ નગર તથા ઘૌંડાની સીટ જ ભાજપની પાસે છે.
જાણકારોનું માનવું છે કે રાજધાનીમાં વિધાનસભા ચૂંટણી વિકાસના મુદ્દા પર લડવામાં આવી રહી છે. એટલા માટે મુસલમાન અથવા બાકી સમુદાય ભાજપની સાથે છે. બધાને ગુજરાત મોડલ પસંદ આવી રહ્યું છે. જાણકારોનું કહેવું છે કે મુસલમાનોમાં પરિવર્તનની ઇચ્છા સ્પષ્ટ જોઇ શકાય છે. તે આ વખતે દિલ્હીમાં ભાજપને સાથે આપી શકે છે.
-
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે, 28 એપ્રિલથી વાતાવરણમાં પલટાની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
બનાસકાંઠાના CNG પ્લાન્ટને દેશના 15 રાજ્યો અપનાવશે, 60 કરોડ ફળવાયા








Click it and Unblock the Notifications
