નરેન્દ્ર મોદી દેશના હનુમાન જેવા છે: રામદેવ
નવી દિલ્હી, 25 એપ્રિલ: યોગગુરૂ બાબા રામદેવે ભાજપનું ખુલીને સમર્થન કરતાં નરેન્દ્ર મોદીને વડાપ્રધાન પદ માટે સૌથી યોગ્ય વ્યક્તિ ગણાવ્યા છે. બાબા રામદેવનું કહેવું છે કે નરેન્દ્ર મોદી દેશના હનુમાન છે અને તે જ હવે દેશને બદલી શકે છે. અત્યાર સુધી જેટલા લોકો આવ્યાં છે તેમને દેશની સાથે કપટ કરી પરંતુ નરેન્દ્ર મોદીએ પોતાને સાબિત કરી બતાવ્યાં છે. એટલે નરેન્દ્ર મોદી આ પદ માટે સૌથી યોગ્ય ઉમેદવાર છે.
બાબા રામદેવે નરેન્દ્ર મોદીનો વિરોધ કરનારાઓ અંગે કહ્યું હતું કે શું નરેન્દ્ર મોદીને ફક્ત એટલા માટે વડાપ્રધાન બનવા દેવા ન જોઇએ કે તે દેશના નિચલા વિભાગ સાથે સંબંધ ધરાવે છે. અત્રે ઉલ્લેખનીય છે કે નરેન્દ્ર મોદી બાળપણમાં પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા માટે રેલવે સ્ટેશન પર ચા વેંચતા હતા.
બાબા રામદેવના અનુસાર નરેન્દ્ર મોદીએ પોતાના બ્રહ્મચર્યને પણ પ્રમાણિત કર્યું છે. બાબા રામદેવ દ્રારા મોદીને સમર્થન કરવું, તેમની પાસે કોંગ્રેસ વિરૂદ્ધ હોવાનું પણ દર્શાવે છે. પરંતુ આનાથી કાંઇને કાંઇ નરેન્દ્ર મોદીને લાભ મળશે તે નક્કી જ છે.