પાણી વિના ગામમાં પડી ગયો દુલ્હનોનો દુકાળ

દિલ્હીનો એક વિસ્તાર એવો પણ છે જ્યાં પાણીના લીધે લોકોએ પોતાની પુત્રીઓને અહીં પરણાવવાની ના પાડી દિધી છે. જી હાં પશ્વિમી દિલ્હીના નજફગઢની પાસે વસેલું ગામ ઇશાપુર, નામ ભલે સાંભળવામાં સારું લાગી રહ્યું હોય, પરંતુ અહીના યુવાનો માટે આ નામ અભિશાપ બની ગયો છે. વર્ષોથી આ ગામમાં કોઇ શરણાઇ વાગી નથી. યુવકોની ઉંમર નિકળતી જાય છે, પરંતુ કોઇ આ ગામમાં પોતાને છોકરી આપવા માટે કોઇ તૈયાર નથી.
ઇશાપુર ગામ પાણીની સમસ્યા સામે ઝઝૂમી રહ્યું છે. પાણીના ટેન્કરો પર અહીંના લોકો પોતાની જીંદગી પસાર કરી રહ્યાં છે. સવારથી જ ગામની મહિલાઓ રસ્તાના કિનારે પાણીના ડબ્બા લઇને લાઇનમાં ઉભી રહી જાય છે. પાણીનું ટેન્કર આવ્યું તો બરોબર નહીતર બીજા દિવસે ફરીથી લાઇન લાગી જાય છે.
એવામાં ગામમાં પાણીનો દુકાળ અહીંના યુવકોને કુંવારા રહેવા માટે મજબૂર કરી દિધા છે. કોઇ પણ પિતા એમ વિચારીને અહીં છોકરી આપતો નથી કે તેની પુત્રીને પણ આ સમસ્યાઓનો સામનો કરવો પડશે. એવામાં આ યુવાનોની આ સમસ્યા સાંભળનાર કોઇપણ નથી. વર્ષોથી આમ જ ચાલતું આવે છે. જો પરિવર્તન કરવામાં ન આવ્યું તો આગળ પણ આમ જ ચાલતું રહેશે.












Click it and Unblock the Notifications
