For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'રાહુલનું કામ નક્કી કરશે કે તે નેતૃત્વના લાયક છે'

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

rahul-gandhi-jaipur
નવી દિલ્હી, 7 ફેબ્રુઆરી: ભારત પાસે રાષ્ટ્રીય સ્તરનો કોઇ નેતા ન હોવાનો દાવો કરતાં સમાજવાદી પાર્ટીના પ્રમુખ મુલાયમ સિંહ યાદવે બુધવારે કહ્યું હતું કે ફક્ત કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીનું કામ નક્કી કરશે કે તે દેશનું નેતૃત્વ કરવા માટે લાયક છે નહી. તેમને કહ્યું હતું કે પાર્ટીની કમાન સંભાળવા માટે રાહુલ ગાંધી ઘણા મોટા નેતા છે કારણ કે આકરી મહેનત કરી છે અને તે સાંસદ પણ છે.

કોંગ્રેસે તેમને નેતા તરીકે સ્વિકાર કરી લીધા છે, પરંતુ તે દેશનું નેતૃત્વ કરવા માટે લાયક છે કે નહી તે અંગેનો નિર્ણય તેમના કામથી થશે. આ તેમની નિતીઓ પર નિર્ભર કરશે. મુલાયમ સિંહ યાદવે કહ્યું હતું કે દેશમાં એવો કોઇ નેતા નથી જે દેશનો નેતા હોવાનો દાવો કરી શકે. મુલાયમ સિંહે એક ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં ત્યાં સુધી કહ્યું હતું કે હું પણ દેશનો નેતા નથી.

તેમને પૂછવામાં આવ્યું હતું કે શું તે વડાપ્રધાન મંત્રી બનવા માંગે છે? સમાજવાદી પાર્ટીએ કહ્યું હતું કે રાજકારણમાં કોઇ પૂર્વાનુમાન લગાવી ન શકાય. તેમને કહ્યું હતું કે રાજકારણમાં નિર્ણય તે સમયની પરિસ્થિતીઓ પર આધારિત થાય છે. પ્રાથમિકતા પાર્ટીને મજબૂત બનાવવાની છે. આપણને પદ ત્યારે મળે છે જ્યારે આપણે મજબૂત હોઇએ છીએ.

English summary
Claiming that India lacks a national leader, Mulayam Singh Yadav today said Rahul Gandhi's work will decide whether he would be able to lead the country.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X