પતિ તરીકે ખરાબ હતા 'રામ': જેઠમલાણી

રામ જેઠમલાણીએ કહ્યું હતું કે મર્યાદા પુરૂષોત્તમ રામ તેમને ક્યારેય પસંદ નથી કારણ કે તેમને માછીમારોની વાત માનીને અગ્નિ પરિક્ષા આપનાર સીતા માતાને પોતાના ઘરમાંથી કાઢી મૂક્યાં હતા. રામ જેઠમલાણીની જીભ આટલુ કહીને અટકી ન હતી, પરંતુ તેમને આગળ કહ્યું હતું કે તે લક્ષ્મણને પણ પસંદ કરતા નથી. લક્ષ્મણના કારણે જ સીતામાતાનું અપહરણ થયું હતું અને રામે તેમને સીતાને શોધવાનું કહ્યું તો લક્ષ્મણે બહાનું બનાવતાં કહ્યું હતું તે આજ સુધી તેમને સીતામાતાનું મોઢું જોયુ નથી માટે તે તેમને ઓળખી શકશે નહી.
રામ જેઠમલાણીના આ નિવદેનથી રામલાલને મનાવનાર ભાજપની અંદર મોટો વિવાદ ઉભો થઇ શકે છે કારણ કે થોડાં દિવસો રામ જેઠમલાણીએ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નિતિન ગડકરીને લઇને ઘણો વિદ્રોણ કર્યો હતો. સ્વામી વિવેકાનંદ અને દાઉદ ઇબ્રાહીમને એક સમાન ગણાવનાર નિતિન ગડકરીના રાજીનામાની માંગણી કરી રહ્યાં હતા પરંતુ ભાજપે ગડકરીને ક્લીન ચીટ આપી રામ જેઠમલાણી જોરદાર ઝટકો આપ્યો હતો. આટલું જ નહી નિતિન ગડકરી કારણે રામ જેઠમલાણીના પુત્ર મહેશ જેઠમલાણીએ પાર્ટીમાંથી રાજીનામું આપ્યું હતું તેમછતાં ભાજપ નિતિન ગડકરીના સાથે છે રામ જેઠમલાણીના સાથે નહી.
અત્રે ઉલ્લેખનીય છે કે જેનું નામ રામ હોય તે જ ભગવાન રામથી નફરત કરે છે. જો કે આ મુદ્દે બધાને ભાજપની પ્રતિક્રિયાની રાહ છે.












Click it and Unblock the Notifications
