'યુપીમાં 3 વખત કરવામાં આવ્યો હતો સંજય ગાંધીની હત્યાનો પ્રયત્ન'

સંજય ગાંધીની હત્યાનો પ્રથમ પ્રયત્ન ઉત્તર પ્રદેશમાં કરવામાં આવ્યો હતો. ઇમરજન્સી દરમિયાન ઉત્તર પ્રદેશના પ્રવાસ પર હતા અને તેમની હત્યા માટે એક શક્તિશાળી રાઇફલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ સમાચાર એક અંગ્રીજી સમાચાર પત્ર ટાઇમ્સ ઓફ ઇન્ડિયામાં પ્રકાશિત કરવામાં આવ્યાં છે.
સમાચારમાં છપાયેલા અહેવાલ મુજબ 1976માં અમેરિકી દૂતાવાસે જણાવ્યું હતું કે સુનિયોજિત હત્યાના કાવતરા મુજબ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીના નાના પુત્ર સંજય ગાંધી એક હુમલાવરના નિશાના પર હતા, પરંતુ તે આ કાવતરામાં નિષ્ફળ નિવડ્યો હતો. અમેરિકી કેબલમાં એક સૂત્રના હવાલાથી જણાવવામાં આવ્યું હતું કે 30 કે 31 ઓગષ્ટના રોજ એક હત્યારાએ સંજય ગાંધી પર ત્રણ વાર ગોળી ચલાવી હતી. પરંતુ તે બચી ગયા હતા.
આ કેબલમાં ભારતીય ગુપ્તચર સૂત્રોના આધારે બનાવવામાં આવ્યો છે. કેબલમાં કહેવામાં આવ્યું છે કે ભારતીય ગુપ્તચર એજન્સીના અનુસાર, સંજય ગાંધી પર આ હુમલાની કોશિશ ત્રણવાર કરવામાં આવી હતી. તેમાં આશંકા વ્યક્ત કરવામાં આવી હતી કે તેમના પર હુમલાનો આરોપ વિરોધી તત્વો પર લગાવવામાં આવતો હતો.
એક અન્ય કેબલમાં જણાવવામાં આવ્યું હતું કે ઇમરજન્સી પાછળ સંજય ગાંધી અને ઇન્દિરા ગાંધીના અંગત સચિવ આર કે ધવન જેવા 'બિન સૈદ્ધાંતિક' અધિકારવાળા વ્યક્તિનો હાથ હતો. જે વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની તાત્કાલિક શક્તિઓ બનાવી રાખવા માટે કાર્ય કર્યું. અત્રે ઉલ્લેખનીય છે કે 23 જૂન, 1980ના રોજ દિલ્હીમાં સંજય ગાંધીનું મોત વિમાન દુર્ઘટનામાં થઇ ગયું હતું. તે વખતે તે 33 વર્ષના હતા.












Click it and Unblock the Notifications
