ભુલ્લરને થશે ફાંસી, સુપ્રીમ કોર્ટે દયા અરજી નકારી કાઢી

Update: 11:15 AM
આજે સુપ્રિમ કોર્ટે એક ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. સુપ્રિમ કોર્ટે ભુલ્લરની દયા અરજીને નકારી કાઢતાં ફાંસીને સજા યથાવત રાખી છે. 2001માં ટાડા કોર્ટે ભુલ્લરને ફાંસીને સજા સંભળાવી હતી. કોર્ટે ભુલ્લરને 11 સપ્ટેમ્બર 1993માં દિલ્હીના યુથ કોંગ્રેસના ઓફિસની બહાર થયેલા કાર બોમ્બ ધમાકામાં ગુનેગાર ગણવામાં આવ્યો હતો. જેમાં યૂથ કોંગ્રેસના તત્કાલીન અધ્યક્ષ મનિંદરજીત સિંહ બિટ્ટાને ગંભીર ઇજા પહોંચી હતી અને નવ સુરક્ષાકર્મીઓના મોત નિપજ્યા હતા.
ન્યાયમૂર્તિ જી એસ સિંઘવી અને ન્યાયમૂર્તિ એસ જે મુખોપાધ્યાયની ખંડપીઠે આ મુદ્દે ગત વર્ષે 19 એપ્રિલના રોજ ખાલિસ્તાન લિબરેશન ફોર્સના આતંકવાદી દેવિન્દ્રપાલ સિંહ ભુલ્લરના પરિવારની યાચિક પર સુનાવણી પુરી કરી હતી. આશા છે કે દયા અરજીઓની સમય મર્યાદામાં પતાવટ કરવા માટે બિન સરકારી સંગઠનોના અનુરોધ પર પણ કોર્ટ પોતાની વ્યવસ્થા આપી શકે છે.
ઉપલી કોર્ટના નિર્ણય મોતની સજા મેળવનાર અનેક ગુનેગારો પર અસર પડી શકે છે. તેમાં પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની હત્યાના ગુનામાં મોતની સજા મેળવનાર ગુનેગારોનો પણ સમાવેશ થાય છે. આ બધા ઇચ્છે છે કે દયા અરજીઓની પતાવટમાં મોડું થયું હોવાના આધારે તેમની સજાને ઉંમરકેદમાં બદલી દેવામાં આવે.
ભુલ્લરના કેસમાં આ દલીલ કરવામાં આવી હતી કે લાંબાગાળા સુધી કાળકોઠરીમાં મોતની સજા જોહના ક્રૂરતા છે અને તેનાથી બંધારણના અનુચ્છેદ 21માં પ્રદત્ત મૌલિક અધિકારોનું હનન થાય છે. ભુલ્લરને સપ્ટેમ્બર 1993માં બોમ્બ વિસ્ફોટના મુદ્દે મોતની સજા સંભળાવવામાં આવી હતી. આ વિસ્ફોટમાં નવ લોકોના મોત નિપજ્યાં હતા.
સુપ્રીમ કોર્ટે 26 માર્ચ 2002ના રોજ ભુલ્લરની અપીલને નકારી કાઢતાં તેની મોતની સજા યથાવત રાખી હતી. કોર્ટે ભુલ્લરની પુનવિચાર અરજી 17 ડિસેમ્બર, 2002ના અને પછી 12 માર્ચ, 2003ના રોજ તેની સુધારાત્મક અરજી નકારી કાઢી હતી.
આ દરમિયાન ભુલ્લરે રાષ્ટ્રપતિ સમક્ષ 14 જાન્યુઆરી 2003ના રોજ દયાની અરજી કરી હતી. રાષ્ટ્રપતિએ આઠ વર્ષ બાદ ગત વર્ષે 25 મેના રોજ તેની દયાની અરજી નકારી કાઢી હતી.
-
Gujarat News: ઉનાળામાં બાળકને લૂ લાગી શકે, શાળાઓ સવારની કરવા ઉઠી માંગ -
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
LPG ગ્રાહકો માટે એલર્ટ! તાત્કાલિક કરાવો e-KYC, નહીં તો કપાઈ જશે ગેસ કનેક્શન, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ -
LPG Shortage: એલપીજી સંકટ વચ્ચે સરકારનું મોટું નિવેદન, જાણો હવે કેવી રીતે થશે ગેસ બુક? -
Petrol Diesel Price: 12 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Amit Shah Speech: અવિશ્વાસ પ્રસ્તાવ પર બોલ્યા ગૃહમંત્રી શાહ, 'સ્પીકર પર આરોપથી દેશની બદનામી' -
ઈરાન-ઈઝરાયલ યુદ્ધના કારણે રદ થશે IPL 2026? જંગ વચ્ચે BCCIએ લીધો મોટો નિર્ણય -
Weather Today: હરિયાણા-ગુજરાત સહિત 5 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Silver Rate Today: ઈરાન યુદ્ધની અસર! ચાંદી ₹13,000 મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો શું છે લેટેસ્ટ ભાવ -
Gold Rate Today: ઈરાન જંગને કારણે સોનામાં ફરી ઉછાળો! શું 1.80 લાખ સુધી પહોંચશે સોનું? જાણો લેટેસ્ટ કિંમત












Click it and Unblock the Notifications
