ભાજપાને કોઇ અલ્ટીમેટમ આપ્યું નથી: શરદ યાદવ

ગત કેટલાક દિવસોથી ભાજપમાં ચાલી રહેલ રાજકારણ અને તેનાથી જેડીયૂની ચિંતાને જોતાં એ સ્પષ્ટ થાય છે કે ભાજપ અને જેડીયૂનું 17 વર્ષ જૂનૂ ગઠબંધન તૂટવાની આરે છે. નિતિશ કુમારને મનાવવા માટે ભાજપના દિગ્ગજ નેતાઓએ ઘણીવાર તેમને ટેલિફોન કર્યો પરંતુ નિતિશ કુમાર સંપૂર્ણ રીતે એનડીએ સાથે બળવો કરવાના મૂડમાં છે.
જો કે બંને પાર્ટીઓ ગઠબંધન તોડવા માટે એકબીજાને જવાબદાર ગણાવવામાં લાગેલી છે. સૂત્રોએ જણાવ્યું હતું કે શનિવારે નિતિશ કુમાર ગઠબંધન તોડવા અંગે ઔપચારિક એલાન કરશે, જો કે ભાજપ માટે રાહતની વાત છે કે શિવસેના અને અકાલી દળ જેવા પક્ષો તેમની સાથે છે.












Click it and Unblock the Notifications
