Covid Update of 4 march : જાણો સૌરાષ્ટ્ર, ગુજરાત અને ભારતની કોરોના અપડેટ
રાજકોટ શહેરમાં ગુરૂવારના રોજ 2 વ્યક્તિનો કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, જ્યારે 4 દર્દીઓ સ્વસ્થ થયા હતા. જેનાથી રાજકોટ શહેરમાં કુલ એક્ટિવ કેસમાં ઘટાડો થયો છે.
Covid Update of 4 march : રાજકોટ શહેરમાં ગુરૂવારના રોજ 2 વ્યક્તિનો કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, જ્યારે 4 દર્દીઓ સ્વસ્થ થયા હતા. જેનાથી રાજકોટ શહેરમાં કુલ એક્ટિવ કેસમાં ઘટાડો થયો છે. રાજકોટ ગ્રામ્યમાં 3 વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ સાથે કોવિડના કારણે રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં 4 કોરોના દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. રાહત સમાચાર એ છે કે, રાજકોટ શહેર કે ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાને કારણે કોઇ મૃત્યુ નોંધાયું નથી.
રાજ્યમાં કોરોનાની પરિસ્થિતિ
ગુજરાતમાં ગુરૂવારના રોજ કોવિડ 19 ના 128 નવા પોઝિટિવ કેસ નોંધાયા હતા. આ સાથે 1 દર્દીનું મોત થયું છે. આ સાથે છેલ્લા 24 કલાકમાં 305 દર્દીઓ કોરોના મુક્તથયા હતા.
જો શહેરોમાં કોરોના સંક્રમણની વાત કરવામાં આવે તો, અમદાવાદમાં 52, વડોદરામાં 13, રાજકોટમાં 05, સુરતમાં 04, ગાંધીનગરમાં 8 અને બનાસકાંઠામાં5 કેસ નોંધાયા હતા.
હાલ રાજ્યમાં કુલ મૃત્યુઆંક 10,934 થયો છે. આ સાથે રાજ્યમાં કુલ 12,10,850 દર્દી સાજા થયા છે. હાલ રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 1250 છે.
ભારતમાં કોરોના સંક્રમણની સ્થિતિ
ભારતમાં છેલ્લા 24 કલાકમાં એટલે કે 4 માર્ચ સવારે 8 કલાક સુધીમાં 6,396 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે 13,450 દર્દીએ કોરોના મુક્ત થયા છે. આસાથે 201 કોરોના પોઝિટિવ દર્દીઓ મૃત્યુ પામ્યા છે.
- એક્ટિવ કેસ : 69,897 (0.16 ટકા)
- કુલ રિકવરી : 4,23,67,070
- મૃત્યુઆંક : 5,14,589
- કુલ રસીકરણ : 1,78,29,13,060
અત્યાર સુધીમાં 4,23,67,070 કોવિડ રિકવરી
સ્વાસ્થ્ય મંત્રાલયના તાજેતરના અહેવાલ મુજબ, અત્યાર સુધીમાં 4,23,67,070 કોવિડ રિકવરી થઈ ચૂકી છે. તે જ સમયે કોવિડ રસીકરણનો આંકડો 178.28 કરોડને પારપહોંચી ગયો છે.
ગુરૂવારના રોજ સમગ્ર દેશમાં લોકોને રસીના 21 લાખથી ડોઝ આપવામાં આવ્યા હતા. આ સિવાય જો આપણે કોરોનાથી જીવ ગુમાવનારા લોકોની વાતકરીએ તો આ સંખ્યા 201 હતી. અત્યાર સુધીમાં આ આંકડો 5,14,589 છે.