બાબરા મંદિરમાં બકરાની બલી ચડાવાઇ, 10 લોકોની ધરપડક
અમરેલી જિલ્લાના બાબરા તાલુકામાં 22 માર્ચના રોજ મંદિરમાં બકરાની બલિ ચઢાવવાના આરોપમાં મંગળવારના રોજ 10 લોકોની ધરપકડ કરવામાં આવી હતી.
રાજકોટ : અમરેલી જિલ્લાના બાબરા તાલુકામાં 22 માર્ચના રોજ મંદિરમાં બકરાની બલિ ચઢાવવાના આરોપમાં મંગળવારના રોજ 10 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. અમરેલી પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીઓએ તેમના ગામમાં પીવાના પાણીની સમસ્યા ઉકેલાઈ તો મંદિરમાં બકરાની બલિ ચઢાવવાની બાધા લીધી હતી.
અમરેલી પોલીસે લખમણ ડાભી, વિહા ભરવાડ, નારણ જિંજુવાડિયા અને અન્ય સાતની ભારતીય દંડ સંહિતા (IPC)ની કલમ 120 B (ગુનાહિત કાવતરું), 457 (અધિનિયમ), 295 (પૂજા સ્થળને અપવિત્ર કરવું) અને 429 (પશુઓને મારવા અથવા અપંગ બનાવવી) હેઠળ ધરપકડ કરી હતી. આરોપીઓ પર પ્રિવેન્શન ઓફ ક્રુઅલ્ટી ટુ એનિમલ્સ એક્ટ, 1960 હેઠળ પણ આરોપ મૂકવામાં આવ્યા હતા.
રાજકોટમાં રહેતા મંદિરના સંચાલક રાજેશ જેઠવાની ફરિયાદના આધારે આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. જેઠવાના જણાવ્યા મુજબ, આરોપી 22 માર્ચની રાત્રે બાબરાના નીલવડા રોડ પર મંદિર પરિસરમાં ઘૂસી ગયો હતો અને બકરાની બલિ ચઢાવી હતી. કુરબાની બાદ આરોપીએ જતા પહેલા મંદિર પરિસરની સફાઈ કરી હતી. જોકે, કેટલાક લોકોએ તેઓને આ કૃત્ય કરતા જોયા અને આ બાબતની જાણ જેઠવાને કરી હતી.
જે બાદમાં જેઠવાએ મંદિરના સીસીટીવી ફૂટેજ તપાસ્યા જેમાં આરોપી મંદિરમાં ઘૂસીને બકરાની બલિ ચઢાવતો જોવા મળ્યો હતો. આ ઘટસ્ફોટ બાદ જેઠવાએ સીસીટીવી ફૂટેજ સાથે પોલીસનો સંપર્ક કર્યો હતો અને ફરિયાદ નોંધાવી હતી.