ગુજરાતઃ એંટી લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ રાજકોટમાં પહેલો કેસ નોંધાયો, પડાવી હતી 75 વિઘા જમીન
'ગુજરાત એન્ટી લેન્ડ ગ્રેબિંગ લૉ' હેઠળ રાજકોટ જિલ્લામાં પહેલી એફઆઈઆર વીરપુર પોલિસ સ્ટેશનમાં નોંધવામાં આવી છે.
રાજકોટઃ ગુજરાત સરકાર દ્વારા હાલમાં જ અસ્તિત્વમાં લાવવામાં આવેલ 'ગુજરાત એન્ટી લેન્ડ ગ્રેબિંગ લૉ' હેઠળ રાજકોટ જિલ્લામાં પહેલી એફઆઈઆર વીરપુર પોલિસ સ્ટેશનમાં નોંધવામાં આવી છે. માહિતી મુજબ પોલિસે ગોંડલના ગુનાહિત જગતમાં કુખ્યાત નિખિલ દોંગા ગેંગના ચાર સભ્યો વિરુદ્ધ એન્ટી લેન્ડ ગ્રેબિંગનો કેસ નોંધ્યો છે જેની હવે આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે. નિખિલ દોંગાના ચાર સભ્યો પર આરોપ છે કે તેમણે 75 વિઘા જમીનના દસ્તાવેજ કરાવ્યા બાદ નક્કી રકમ જમીનના માલિકને નહિ આપીને જમીન હડપી લીધી હતી.

જમીન માલિકે રાજકોટના વીરપુર પોલિસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે રાજકોટ જિલ્લા પોલિસ ઑફિર બલરામ મીણીએ ચાર આરોપીઓ સામે ગુજરાત એંટી ગ્રેબિંગ કાયદા હેઠળ કાર્યવાહી શરૂ કરી. જાણવા મળ્યુ છે કે ઉપરોક્ત ચાર આરોપીઓ વિરુદ્ધ પોલિસે પહેલાથી ગુજકોસીટોક હેઠળ પણ કેસ નોંધાવી રાખ્યો છે. પીડિત જમીન માલિક મૂળ રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના ચરખડીના નિવાસી છે અને હાલમાં તે ગોંડલના નારાયણ નગરમાં રહે છે અને તેનુ નામ ગજેન્દ્ર સાંગાણી છે.
ગજેન્દ્ર સાંગાણી ખેતીકામ કરે છે અને તેની ફરિયાદ પર વીરપુર પોલિસે ગોંડલના કમલેશ સિંધવ, નરેશ સિંધવ, રમેશ સિંધ અને બચુ ગમારા પર એંટી લેન્ડ ગ્રેબિંગ હેઠળ એફઆઈઆ કરી છે. આ અંગેની માહિતી જિલ્લા પોલિસ પ્રમુખ બલરામ મીણીએ પ્રેસ કૉન્ફરન્સમાં આપી. બલરામે જણાવ્યુ કે લેંડ ગ્રેબિંગ એક્ટ હેઠળ કાયદો આવ્યા બાદ આ જિલ્લામાં પહેલી એફઆઈઆર કરવામાં આવી છે. જેમાં ત્રણ ભાઈ અને એક અન્ય આરોપી શામેલ છે. ધીરુભાઈ ગમારા નામનો આરોપી ગોંડલ નગરપાલિકાના કૉન્ટ્રાક્ટ આધારિત નોકરી કરે છે. સાથે જ ચારે આરોપીમાંથી નરેશ સિંધવ નિખિલ દોંગાનો માણસ છે. બલરામે જણાવ્યુ કે નરેશ સિંધવ ગુજસીટોકના આધારે અત્યારે જેલમાં છે. ચાર આરોપીઓમાંથી 2 આરોપી કમલેશ સિંધવ અને નરેશ સિંધવ પણ જેલમાં છે. જ્યારે રમેશ સિંધવ અને ધીરુ ગમારાની પણ ધરપકડ થઈ ચૂકી છે. પોલિસ અધિકારીએ જણાવ્યુ કે પીડિતના ન્યાય આપવામાં આવશે.
-
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Samay Raina Caste: સ્ટેન્ડ-અપ કૉમેડિયન સમય રૈનાના જાતિ-ધર્મ શું છે? ખુદને 'મૃતદેહ' જેવો કેમ કહ્યો? -
Putin India Visit: એક વર્ષમાં બીજીવાર ભારત આવી રહ્યા છે પુતિન, પશ્ચિમી દેશોની ઉંઘ ઉડી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
લોકસભા સીટ 850 કરવાનો પ્લાનઃ પરિસીમન શું છે? North Vs South વિવાદ વકર્યો, વિપક્ષ કેમ વિરોધ કરે છે- Explain -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
Weather Update: આસામ-બંગાળ સહિત 13 રાજ્યોમાં આંધી-તોફાનની આગાહી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત



Click it and Unblock the Notifications
