Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

રાજકોટ લોકમેળાની તૈયારીઓ શરૂ, રાંધણ છઠ્ઠથી ખુલ્લો મૂકવામાં આવશે

Rajkot News: સૌરાષ્ટ્રના સૌથી મોટા અને લોકપ્રિય રાજકોટ લોકમેળાને લઈને તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ વર્ષે પણ CMના હસ્તે લોકમેળાને ખુલ્લો મૂકવામાં આવે તેવી શક્યતા છે. પરંપરાગત રીતે રાંધણ છઠ્ઠના શુભ દિવસે આ ભવ્ય લોકમેળો જાહેર જનતા માટે ખુલ્લો મૂકવામાં આવશે.

Rajkot Lok Mela

રાજકોટના લોકમેળામાં ખાસ પ્રકારનું આયોજન

લોકમેળામાં અવરનારા લાખો લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને વ્યાપક અને ખાસ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર, લોકમેળા પરિસરમાં 4 કંટ્રોલરૂમ સ્થાપિત કરવામાં આવશે અને 24 વોચ ટાવર બનાવવામાં આવશે, જેના પરથી સમગ્ર મેળા પર બાજ નજર રાખવામાં આવશે. સુરક્ષા વ્યવસ્થા વધુ સુદ્રઢ બનાવવા માટે 500થી વધુ પોલીસ કર્મચારીઓને તૈનાત કરવામાં આવશે. આ ઉપરાંત, લોકમેળામાં પ્રવેશ અને બહાર નીકળવા માટે સુવ્યવસ્થિત વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જેમાં 4 ગેટ પર પ્રવેશ અને 4 ગેટ પર બહાર નીકળવાની વ્યવસ્થા રહેશે.

લોકમેળામાં સ્વચ્છતા અને જાહેર આરોગ્ય પ્રાધાન્ય આપતા ગુટખા, તમાકુ અને સિગારેટના વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તંત્ર દ્વારા લેવાયેલા આ નિર્ણયો મેળાને વધુ સુરક્ષિત, સ્વચ્છ અને કુટુંબલક્ષી બનાવવામાં મદદરૂપ થશે. રાજકોટનો આ લોકમેળો દર વર્ષની જેમ આ વર્ષે પણ લાખો લોકોને આકર્ષિત કરશે અને ઉત્સાહભેર ઉજવાશે તેવી અપેક્ષા છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X