રાજકોટ: જેતપુરમાં જન્માષ્ટમી પહેલા રોગચાળો ફાટ્યો, ડબલ ઋતુની અનુભુતી
રાજકોટના જેતપુરમાં છેલ્લા ઘણા સમયથી ડબલ ઋતુનો અનુભવ થઇ રહ્યો છે. દિવસે ગરમી અને રાત્રે ઠંડો બરફીલો પવન. મિશ્ર વાતાવરણના કારણે વાયરલ ઇન્ફેક્શનથી થતા રોગચાળાએ ઓચિંતો ભરડો લીધો છે. જેતપુર સિવિલ હોસ્પિટલની ઓપીડી અને લેબોરેટર
રાજકોટના જેતપુરમાં છેલ્લા ઘણા સમયથી ડબલ ઋતુનો અનુભવ થઇ રહ્યો છે. દિવસે ગરમી અને રાત્રે ઠંડો બરફીલો પવન. મિશ્ર વાતાવરણના કારણે વાયરલ ઇન્ફેક્શનથી થતા રોગચાળાએ ઓચિંતો ભરડો લીધો છે. જેતપુર સિવિલ હોસ્પિટલની ઓપીડી અને લેબોરેટરીમાં આતા દૈનિક 300થી 400 લોકો વાયરલ ઇન્ફેક્શનના સકંજામાં સપડાતા હોવાની માહિતિ સામે આવી છે.

શહેરમાં શરદી, ઉધરસ અને તાવ જેવા વાયરલ ઇન્ફેક્શનના કેસોમાં ઓચિંતો વધારો જોવા મળ્યો છે. ઠંડી અને ગરમી એમ મિશ્ર ઋતુના કારણે આ ઇન્ફેક્શન ફેલાઇ રહ્યું છે. વાયરલ ઇન્ફેક્શવાળા દર્દી શરદી કે છીંક ખાય તો પણ તે બીજાને અસર કરી શકે છે. આ કારણે જેતપુરમાં આ રીતે ફેલાતા રોગે ભરડો લીધો છે. દરરોજ 300થી વધુ લોકો વાયરલ ઇન્ફેક્શનનો શિકાર બની રહ્યાં છે.












Click it and Unblock the Notifications
