પાણી માટેની તકરારનો કરૂણ અંજામ, છરી ધા મારી વૃદ્ધની હત્યા
સૌરાષ્ટ્રના ગીર-સોમનાથ જિલ્લામાં 63 વર્ષીય વાલ્વમેનની હત્યામાં ઓછા પાણીના દબાણને લઈને થયેલી લડાઈનો અંત આવ્યો હતો.
રાજકોટ : સૌરાષ્ટ્રના ગીર-સોમનાથ જિલ્લામાં 63 વર્ષીય વાલ્વમેનની હત્યામાં ઓછા પાણીના દબાણને લઈને થયેલી લડાઈનો અંત આવ્યો હતો. તાલાલા તાલુકાના ગીર-હડમતીયા ગામની ગ્રામ પંચાયતમાં કામ કરતા પીડિત ઈસ્માઈલ ચોટિયારાને સોમવારના રોજ મુસ્તાક શિરમાણે છરીના ઘા મારીને હત્યા કરી હતી.
બે દિવસથી પાણીનું પ્રેશર ખૂબ જ ઓછું હોવાથી શીરમણે કારણ પૂછવા માટે ચોટિયારાને ફોન કર્યો હતો. જોકે, ચોટિયારાએ તેને અસ્પષ્ટ જવાબો આપ્યા અને શિરમાણને મળવા આવવા જણાવ્યું હતું.
આ મુદ્દે તેમની વચ્ચે ઉગ્ર દલીલ થઈ હતી, જેણે બિહામણો વળાંક લીધો, જ્યારે શિરમાણે છરી કાઢી અને 63 વર્ષીય વૃદ્ધ પર ચારથી પાંચ વાર હુમલો કર્યો હતો.
ચોટિયારાને તાલાલાની હોસ્પિટલમાં લઇ જવાયો હતો, પરંતુ સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. તાલાલા પોલીસ સ્ટેશનના તપાસ અધિકારી પીએસઆઈ પી. જે. બાંટવાએ જણાવ્યું હતું કે, તેઓએ આરોપીની અટકાયત કરી છે અને તેની ધરપકડ કરવાની કાર્યવાહી ચાલુ છે.
પોલીસે એમ પણ જણાવ્યું હતું કે, ચોટિયારા અને શિરમણના પરિવારજનો વચ્ચે છેલ્લા ઘણા સમયથી સંબંધો વણસ્યા હતા. ચોટિયારાની બહેન અને શિરમાણના ભાઈએ પરિવારની મરજી વિરુદ્ધ લગ્ન કર્યા હતા, જેના કારણે બંને વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા. ચોટિયારાના પુત્ર રફીકે આ ઘટના અંગે ફરિયાદ નોંધાવી હતી.