જસદણની વિરનગર આંખની હોસ્પિટલને કોવિડ હોસ્પિટલ જાહેર કરાઈ
જસદણની વિરનગર આંખની હોસ્પિટલને કોવિડ હોસ્પિટલ જાહેર કરાઈ
કોરોના વાયરસે સમગ્ર વિશ્વમાં કહેર મચાવી રાખ્યો છે. દેશના તમામ રાજ્યોની હાલત કફોડી બનતી જઈ રહી છે, ઠેર ઠેર સતત વધી રહેલા કેસને પગલે હોસ્પિટલોમાં બેડ ઘટવાની પણ ચિંતા સતાવી રહી છે. ત્યારે જસદણમાં વધુ એક હોસ્પિટલને કોવિડ 19 હોસ્પિટલ તરીકે ઘોષિત કરવામાં આવી છે. જસદણમાં આવેલી વિરનગર આંખની હોસ્પિટલને કોવિડ હોસ્પિટલ ઘોષિત કરાઈ છે.

50 બેડની ક્ષમતા
સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ જસદણની વિરનગર કોવિડ હોસ્પિટલમાં 50 બેડની સુવિધા આપવામાં આવી છે એટલે કે આ હોસ્પિટલમાં 50 જેટલા દર્દીઓને એડમિટ કરી શકાશે. કેન્દ્રીય કેબિનેટ મંત્રી કુંવરભાઈ બાવળિયાએ નવી ઘોષિત કરાયેલી આ કોવિડ કેર સેન્ટર ખાતે દીપ પ્રાગટ્ય કર્યું છે.

સીઆર પાટીલની રેલીએ વિવાદ સર્જ્યો
ઉલ્લેખનીય છે કે સીઆર પાટીલની રેલી યોજાયા બાદથી રાજકોટમાં કોરોનાના કેસમાં વધારો થયો છે. ભાજપના નેતા આ વાત સ્વિકારવા પણ તૈયાર નથી. અહેવાલ મુજબ રાજકોટની સ્થિતિ એવી ભયંકર છે કે સ્મશાને પણ 24 કલાકનું વેટિંગ હતું, એટલું જ નહિ દરરોજ વધતા કોરોનાના કેસમાં પણ વધારો નોંધાયો છે. ખુદ ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ પણ કોરોના પોઝિટિવ નીકળ્યા ત્યારે રાજકોટમાં તેમણે કાઢેલા વરઘોડાએ કેટલાયને સંક્રમણ આપ્યું હશે એ તો ભગવાન જ જાણે.

જામનગરમાં પણ સ્થિતિ કાબૂ બહાર
માત્ર રાજકોટ જ નહિ, જામનગરની હાલત પણ કફોડી બનતી જઈ રહી છે. જામનગરમાં મોટાભાગના પ્રાઈવેટ હોસ્પિટલમાં બેડ ના હોવાના કારણે નવા દર્દીઓને સ્વીકારવાની ના પાડવામાં આવી રહી છે. જામનગર સ્વામિનારાયણ સંકૂલ દ્વારા નવી સ્થાપવામાં આવેલી કોરોના હોસ્પિટલે હાલ દર્દીઓને દાખલ કરવામાં આવી રહ્યા હોવાનું જાણવા મળ્યું.
-
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા





Click it and Unblock the Notifications
