સુરતમાં કાંઠા વિસ્તારના ગ્રામિણોએ પ્રદૂષણ મુદ્દે કાઢી રેલી

એક તરફ જગતનો તાત પાણીના પ્રશ્ને તો ખેતી માટે પરેશાન છે તેમાં નર્મદા પાણી છોડવાના અહેવાલથી થોડી રાહત મલી છે જોકે સુરત જિલ્લાના ખેડૂતો પ્રદૂષણનો પણ સામનો કરી રહ્યા છે.

એક તરફ જગતનો તાત પાણીના પ્રશ્ને તો ખેતી માટે પરેશાન છે તેમાં નર્મદા પાણી છોડવાના અહેવાલથી થોડી રાહત મલી છે જોકે સુરત જિલ્લાના ખેડૂતો પ્રદૂષણનો પણ સામનો કરી રહ્યાછે અને પ્રદૂષણને કારણે તેમની રોજગારી પર માઠી અસર થઈ રહી છે.

Surat Rally

પ્રદૂષણના આ પ્રશ્નને ધ્યાનમાં રાખતા સુરત જિલ્લામાં કાંઠા વિસ્તારના 12-15 જેટલા ગામોના લોકોની આજે રેલી નીકળી છે. ખેડૂતોએ રેલીમાં સ્વચ્છતા અભિયાનને ધ્યાનમાં રાખવાની અધિકારીઓને ટકરો કરી હતી અને તે પ્રમાણેના જ બેનરો દર્શાવ્યા હતા અને સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. ખેડૂતોએ કાઢેલી રેલીમાં આશરે સાડા ત્રણ હજાર જેટલા લોકો જોડાયા હતા.

આ રેલી સુરતના હજીરા વિસ્તારથી કાઢીને કલેકટર કચેરીએ પહોંચી હતી જ્યાં પ્રદૂષણના મુદ્દે જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. સ્થાનિક ખેડૂતે જણાવ્યું હતું કે સુરતના નદી કાંઠા વિસ્તારમાં જેમના ખેતર છે ત્યાં આવેલા કેમિકલ ફેક્ટરીઓના કારણે થતા પ્રદૂષણને વધતી સમસ્યા સામે લોકોમાં ભારે રોષ ફેલાયો છે કારણ કે પ્રદૂષણના કારણે લોકોનું ખેતી ઉત્પાદન ઘટ્યું છે અને ઉત્પાદન ઘટાતા રોજગારી પણ ઘટી છે આ અંગે વારંવાર સરકારનું તથા તંત્રનું ધ્યાન દોરવામાં આવ્યું છે પરંતુ કોઈ પગલાં ન લેવાતા આજે રેલી કાઢવામાં આવી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X