Tapi bridge news : અમદાવાદ-મુંબઈ હાઈવે પરનો તાપી બ્રિજ 20 ઓગસ્ટ સુધી બંધ રહેશે
Tapi bridge news : અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે 48 પર આવેલા તાપી બ્રિજ પર સમારકામની કામગીરી ચાલી રહી છે. ભરૂચ અને સુરતને જોડતા આ મહત્ત્વના પુલ પરના એક્સપાન્શન જોઈન્ટનું સમારકામ હજુ પૂરું ન થતા વાહનવ્યવહારને લગતી નિયંત્રણોની સમયમર્યાદા લંબાવવામાં આવી છે.
અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ વિજય રબારીએ જાહેરનામું બહાર પાડીને આ બ્રિજ પરના પ્રતિબંધોને 20 ઓગસ્ટ, 2025 સુધી લંબાવવાની જાહેરાત કરી છે.

ભરૂચથી સુરત તરફ જતા વાહનચાલકો માટે ટ્રાફિક વ્યવસ્થામાં કેટલાક ફેરફારો કરવામાં આવ્યા છે.
ભારે વાહનો માટે: ભરૂચથી સુરત તરફ જતાં ભારે વાહનોને બ્રિજની ડાબી બાજુના રસ્તાને બદલે વૈકલ્પિક માર્ગ પર વાળવામાં આવશે. આ વાહનોને વડોદરા-મુંબઈ એક્સપ્રેસવે (પેકેજ-6) દ્વારા ડાયવર્ટ કરવામાં આવશે. આ નિર્ણયનો હેતુ ટ્રાફિકને સરળ બનાવવાનો છે.
ટુ-વ્હીલર માટે: ટુ-વ્હીલર ચાલકો માટે એક્સપ્રેસવે પર પ્રવેશવાની મંજૂરી નથી. આથી, તેઓ તાપી નદી પરના હાલમાં કાર્યરત બીજા પુલનો ઉપયોગ કરી શકશે.
સામેની દિશાનો ટ્રાફિક: જે વાહનો સુરતથી ભરૂચ તરફ જઈ રહ્યા છે, તેઓ બ્રિજની જમણી બાજુના હાલના રસ્તા પરથી પસાર થઈ શકશે. આ માર્ગ પર કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
આ જાહેરનામું કાયદો અને વ્યવસ્થા જાળવવા અને વાહનવ્યવહાર સરળતાથી ચાલુ રહે તે હેતુથી બહાર પાડવામાં આવ્યું છે. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે ચેતવણી આપી છે કે આ આદેશનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.












Click it and Unblock the Notifications
