Vadodara: નર્મદામાં ઝંપલાવી પ્રેમીપંખીડાએ જીવન ટૂંકાવ્યું, જાણો કારણ
Vadodara: નર્મદા જિલ્લાના ગરુડેશ્વર નજીક વીડિયો મેસેજ રેકોર્ડિંગ કર્યા બાદ એક યુવક અને યુવતીએ નર્મદા નદી પરના પુલ પરથી કૂદીને જીવનનો અંત આણ્યો હતો. એવું માનવામાં આવે છે કે, તેઓ એકબીજા સાથે લગ્ન કરી શકશે નહીં, તેવા ડરથી તેઓએ આત્યંતિક પગલું ભર્યું હતું.
આ ઘટના શુક્રવારની સાંજે અક્તેશ્વર બ્રિજ પર બની હતી. ઘનશ્યામ તડવી (19) અને યુવતી, જેની ઉંમર આશરે 18 વર્ષની હતી, સાંજે પુલ પર આવ્યા હતા.

તેઓએ તેમના પરિવારજનો માટે એક વીડિયો રેકોર્ડ કર્યો અને પછી પુલ પરથી નદીમાં કૂદી પડ્યા હતા. તેઓનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.
વીડિયોમાં કહેવામાં આવ્યું છે કે, તેઓ પોતાની મરજીથી પોતાનું જીવન સમાપ્ત કરી રહ્યા હતા. તે એમ પણ કહે છે કે, તેઓ સાથે રહેવા માંગતા હતા. તેઓએ વીડિયોના અંતે તેમના માતા-પિતા પ્રત્યે પ્રેમ વ્યક્ત કર્યો હતો.
આ પ્રેમીપંખીડાએ જ્યારે બંનેએ નદીમાં ઝંપલાવ્યું, ત્યારે મુસાફરો સ્થળ પર એકઠા થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો બ્રિજ પર દોડી ગયો હતો. પોલીસનું માનવું છે કે, યુવક અને યુવતી એક જ જ્ઞાતિ અને ગામના હોવાથી તેઓએ વિચાર્યું હતું કે, તેમના લગ્ન શક્ય નથી અને તેથી તેમણે આ પગલું ભર્યું હશે.












Click it and Unblock the Notifications
