13,500 જવાન, 404 ટેન્ક..., રશિયન સેનાને યુદ્ધમાં કેટલું થયુ નુકશાન, યુક્રેને જારી કર્યુ લિસ્ટ
આજે યુક્રેન પર રશિયન હુમલાનો 20મો દિવસ છે. યુક્રેનના વિદેશ પ્રધાન દિમિત્રી કુલેબાએ તેમના ઇઝરાયેલી સમકક્ષ યાર લેપિડ સાથે ફોન પર વાત કરી હતી. કુલેબાએ કહ્યું કે આ સમય દરમિયાન તેમણે યુદ્ધની સ્થિતિ વિશે ચર્ચા કરી જેમાં ઈઝરાયે
આજે યુક્રેન પર રશિયન હુમલાનો 20મો દિવસ છે. યુક્રેનના વિદેશ પ્રધાન દિમિત્રી કુલેબાએ તેમના ઇઝરાયેલી સમકક્ષ યાર લેપિડ સાથે ફોન પર વાત કરી હતી. કુલેબાએ કહ્યું કે આ સમય દરમિયાન તેમણે યુદ્ધની સ્થિતિ વિશે ચર્ચા કરી જેમાં ઈઝરાયેલે તેમને ખાતરી આપી કે તેમનો દેશ રશિયાને પ્રતિબંધોથી બચાવવાનો રસ્તો નહીં આપે.
ઇઝરાયેલ સાથે યુદ્ધ પર ચર્ચા
કુલેબાએ ટ્વિટ કરીને આ જાણકારી આપી છે. ટ્વીટમાં, તેમણે ઇઝરાયેલના મધ્યસ્થી પ્રયાસો અને માનવતાવાદી સહાય માટે આભાર માન્યો. તમને જણાવી દઈએ કે ઇઝરાયલના વડાપ્રધાન યુદ્ધ દરમિયાન રશિયા ગયા હતા જ્યાં તેઓ રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને મળ્યા હતા.
કુલેબાએ લખ્યું "અમે યુક્રેનમાં યુદ્ધ સમાપ્ત કરવાના માર્ગો પર ચર્ચા કરી હતી." લેપિડ સંમત થયા છે કે "ઇઝરાયેલમાં આવતા યુક્રેનિયનોના અધિકારોનું સન્માન કરવામાં આવશે."
આ સાથે યુક્રેનના વિદેશ મંત્રાલયે એક સંપૂર્ણ યાદી જાહેર કરી છે જે દર્શાવે છે કે આ યુદ્ધમાં રશિયાને અત્યાર સુધી ભારે નુકસાન થયું છે.
13,500 રશિયન સૈનિકો માર્યા ગયા
કુલેબા દ્વારા ટ્વિટર પર જાહેર કરવામાં આવેલી યાદી અનુસાર, યુદ્ધની શરૂઆતથી અત્યાર સુધીમાં રશિયન સેનાના 13,500 સૈનિકો માર્યા ગયા છે. આ યાદીમાં આગળનો નંબર બખ્તરબંધ વાહનોનો છે. કુલેબાની યાદી અનુસાર, યુક્રેને રશિયન સેનાના 1279 બખ્તરબંધ વાહનોને નષ્ટ કર્યા છે.
યુક્રેને 81 રશિયન એરક્રાફ્ટ અને 95 હેલિકોપ્ટરને તોડી પાડ્યા છે. રશિયન સૈન્યની 150 આર્ટિલરી બંદૂકો નાશ પામી છે અથવા જપ્ત કરવામાં આવી છે, જ્યારે 150 મલ્ટિપલ રોકેટ લોન્ચિંગ સિસ્ટમો નષ્ટ કરી છે.
404 રશિયન ટેન્કોનો નાશ કર્યો
હવે યુદ્ધમાં રશિયન સેનાના હાથમાંથી 404 ટેન્કોનો નાશ કર્યો છે. આ ટેન્કો નષ્ટ થઈ ગઈ છે અથવા યુક્રેનના કબજામાં ગઈ છે. રશિયાએ 640 વાહનો ગુમાવ્યા જ્યારે 3 જહાજો પણ નાશ પામ્યા છે. યુક્રેન દ્વારા 9 માનવરહિત એરક્રાફ્ટને તોડી પાડવામાં આવ્યા છે જ્યારે 36 એન્ટી એરક્રાફ્ટ વોરફેર સિસ્ટમ્સ પણ નાશ પામી છે.
કિવમાં બે દિવસ માટે કર્ફ્યુ
રશિયાના ભીષણ હુમલાનો સામનો કરી રહેલા યુક્રેનની રાજધાની કિવમાં નવો કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. કિવના મેયરે આની જાહેરાત કરી છે. આ કર્ફ્યુ 15 માર્ચે રાત્રે 8 વાગ્યાથી 17 માર્ચે સવારે 7 વાગ્યા સુધી ચાલુ રહેશે.
કિવ ઈન્ડિપેન્ડન્ટના અહેવાલ મુજબ રાજધાનીના મેયર વિતાલી ક્લિસ્કોએ નવા કર્ફ્યુની જાહેરાત કરી છે. 15 માર્ચની સાંજથી જારી કરવામાં આવનાર આ કર્ફ્યુમાં લોકોને માત્ર બોમ્બ શેલ્ટરમાં જવા માટે જ બહાર જવા દેવામાં આવશે.