આજે વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર થયેલા આતંકવાદી હુમલાની વરસી, 2996 લોકોના થાય હતા મોત
વર્ષ 2001 એટલે કે આજથી ઠીક 19 વર્ષ પહેલા આ દિવસે અમેરિકા ભયાનક આતંકવાદી હુમલાથી હચમચી ઉઠ્યું હતું. 11 સપ્ટેમ્બર, 2001 અમેરિકાના ઇતિહાસમાં કાળા દિવસ રૂપે નોંધાયેલ છે. વિશ્વનો સૌથી મોટો આતંકવાદી હુમલો આજના દિવસે થયો હતો.
વર્ષ 2001 એટલે કે આજથી ઠીક 19 વર્ષ પહેલા આ દિવસે અમેરિકા ભયાનક આતંકવાદી હુમલાથી હચમચી ઉઠ્યું હતું. 11 સપ્ટેમ્બર, 2001 અમેરિકાના ઇતિહાસમાં કાળા દિવસ રૂપે નોંધાયેલ છે. વિશ્વનો સૌથી મોટો આતંકવાદી હુમલો આજના દિવસે થયો હતો, જેમાં 2996 લોકો માર્યા ગયા હતા. અમેરિકાના તત્કાલીન રાષ્ટ્રપતિ જ્યોર્જ બુશે આ ઘટનાને અમેરિકન ઇતિહાસમાં કાળો દિવસ ગણાવ્યો હતો.

8 કલાક અને 46 મિનિટે બધું જ બદલાઈ ગયું
11 સપ્ટેમ્બર, 2001ની સવારને આજ સુધી કોઈ ભૂલી શક્યું નથી, જ્યારે રોજની જેમ વર્લ્ડ ટ્રેન્ડ સેન્ટર એટલે વિશ્વની સૌથી ઉંચી ઇમારતોમાંથી એક, જેમાં લગભગ 18 હજાર કામદારો દૈનિક કામમાં વ્યસ્ત હતા, પરંતુ 8 કલાક અને 46 મિનિટે બધું જ બદલાઈ ગયું.
તે દિવસે 19 અલ કાયદાના આતંકવાદીઓએ 4 પેસેન્જર એરક્રાફ્ટને હાઇજેક કર્યા હતા અને તેમાંથી બેને વર્લ્ડ ટ્રેડ સેન્ટર, ન્યૂયોર્ક સિટીના ટ્વીન ટાવર્સમાં ઇરાદાપૂર્વક ક્રેશ કર્યા હતા, આ વિમાનમાં સવાર તમામ લોકો માર્યા ગયા હતા અને બિલ્ડિંગની અંદર કામ કરતા હજારો લોકોના મોત થયા હતા. જે વિમાન સાથે હુમલો કરવામાં આવ્યો હતો, તેની ઝડપ 987.6 કિમી / કલાકથી વધુ હતી. બંને ઇમારતો બે કલાકમાં તૂટી પડી હતી, નજીકની ઇમારતો પણ નાશ પામી હતી અને અન્ય ઇમારતોને પણ નુકસાન થયું હતું.
પેન્ટાગોનમાં ત્રીજું વિમાન ક્રેશ કર્યું
જે બાદ આતંકવાદીઓએ વોશિંગ્ટન ડીસીની બહાર વર્જિનિયાના આર્લિંગ્ટનમાં પેન્ટાગોનમાં ત્રીજું વિમાન ક્રેશ કર્યું. કેટલાક મુસાફરો અને ફ્લાઇટ ક્રૂએ વોશિંગ્ટન ડીસી તરફ લક્ષ્ય રાખતા ચોથા વિમાન પર ફરીથી નિયંત્રણ મેળવવાનો પ્રયાસ કર્યા બાદ વિમાન ગ્રામીણ પેન્સિલવેનિયામાં શૈન્ક્સવિલે નજીકના વિસ્તારમાં ક્રેશ થયું હતું. જોકે, ફ્લાઇટમાં સવાર લોકોમાંથી કોઇ બચી શક્યું ન હતું.
ટ્વીન ટાવર 2 કલાકમાં ભંગારના ઢગલામાં ફેરવાઈ ગયો
આ ભયાનક હુમલામાં 2996 લોકોએ જીવ ગુમાવ્યા હતા, જેમાં 400 પોલીસ અધિકારીઓ અને અગ્નિશામકોનો સમાવેશ થાય છે. 57 દેશોના લોકો મૃતકોમાં હતા. લગભગ 2 કલાકમાં આખું મકાન ભંગારમાં ફેરવાઈ ગયું હતું. માર્યા ગયેલા લોકોમાંથી માત્ર 291 મૃતદેહો હતા, જેની યોગ્ય રીતે ઓળખ થઈ શકી હતી. નોંધનીય છે કે, આ હુમલા બાદ ભારતીય વેપારીઓએ હજારો ટન ભંગાર લગભગ 23 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. તેમાંથી લોખંડ અને સ્ટીલ રિસાયકલ કરવામાં આવ્યા હતા અને નવી ઇમારતોમાં ઉપયોગમાં લેવાયા હતા.
અમેરિકાએ તેના નાગરિકોના લોહીનો બદલો લીધો
આ હુમલા પાછળ અલ કાયદાના વડા ઓસામા બિન લાદેનનો હાથ હતો. ત્યારબાદ અમેરિકાએ 2 મે, 2011 ના રોજ પાકિસ્તાનના એબોટાબાદમાં ઓસામાની હત્યા કરીને બદલો લીધો હતો. જો કે, તેને આમ કરવામાં 10 વર્ષ લાગ્યા હતા. 13 વર્ષ બાદ તે જ નવી ઇમારત કામ માટે ખોલવામાં આવી.
ગ્રાઉન્ડ ઝીરો પર 8 વર્ષમાં 104 માળનું બિલ્ડિંગ
નુકસાનના એક વર્ષમાં પેન્ટાગોનને સાફ અને સમારકામ કરવામાં આવ્યું હતું. બિલ્ડિંગની બાજુમાં પેન્ટાગોન સ્મારક બનાવવામાં આવ્યું હતું. ગ્રાઉન્ડ ઝીરો પર નવું મકાન વર્લ્ડ ટ્રેડ સેન્ટરની તોડી પાડવામાં આવેલી ઇમારતોની જગ્યાએ 104 માળનું બિલ્ડિંગ છે. આ ઇમારત માત્ર ન્યૂયોર્ક અથવા મેનહટનમાં જ નહીં પણ અમેરિકાની સૌથી ઉંચી ઇમારતોમાંની એક છે. તેનું નામ વન વર્લ્ડ ટ્રેડ સેન્ટર આપવામાં આવ્યું છે. આ ગગનચુંબી ઇમારતને ફરીથી બનાવવામાં 8 વર્ષનો સમય લાગ્યો હતો.
9/11 બાદ કોઈ મોટો હુમલો નહીં
9/11ના હુમલા બાદ અમેરિકામાં કોઈ મોટો હુમલો થયો નથી, કારણ કે, તે પછી અલ કાયદાએ પોતાને બચાવવાનો પ્રયાસ ચાલુ રાખ્યો હતો, જ્યારે તાલિબાને અફઘાનિસ્તાનમાં અમેરિકન દળોને નિશાન બનાવ્યા હશે, પણ અમેરિકામાં પ્રવેશવાની હિંમત કરી હતી. ISIS જેવી સંસ્થાઓએ પણ અમેરિકામાં આતંકવાદી હુમલાઓ કરવાથી દૂર રાખ્યા હતા. તેણે મોટાભાગે યુરોપિયનોને નિશાન બનાવ્યા હતા, પરંતુ બોમ્બ વિસ્ફોટ અને જાનમાલને મોટા પાયે નુકસાન પહોંચાડી શક્યું ન હતું.
બે મોટા હુમલાના પ્લાન નિષ્ફળ
યુએસમાં નાતાલના દિવસે વર્ષ 2009માં અલ કાયદા દ્વારા પ્રશિક્ષિત આતંકવાદી ઓમર ફારૂક અબ્દુલમુતલ્બે કાર બોમ્બ ધડાકાની યોજના બનાવી હતી, પરંતુ તે સફળ ન થઈ અને સુરક્ષા એજન્સીઓને તેના વિશે માહિતી મળી ગઇ. જે બાદ ન્યૂયોર્કના ટાઈમ્સ સ્ક્વેરમાં પાકિસ્તાન તાલિબાન દ્વારા મોકલવામાં આવેલા ફૈઝલ શહઝાદે પણ કાર બોમ્બ ધડાકા કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે સફળ થઈ શક્યો ન હતો. સુરક્ષા એજન્સીઓને આ માહિતી તેમના સ્થાનિક નેટવર્કથી મળી છે. જે બાદ અમેરિકામાં આજ સુધી કોઈ મોટો આતંકવાદી હુમલો થઈ શક્યો નથી, કારણ કે 9/11 ના હુમલામાંથી બોધપાઠ લેતા અમેરિકન શાસને તેની આંતરિક સુરક્ષા વ્યવસ્થાને એટલી મજબૂત બનાવી છે.
-
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી -
VerSe ઇનોવેશને પી.આર. રમેશની સ્વતંત્ર ડિરેક્ટર અને ઓડિટ સમિતિના અધ્યક્ષ તરીકે નિમણૂક કરી -
5 રાજ્યોની ચૂંટણી ભાજપ માટે સત્તાનો જંગ કે ભવિષ્યનો રોડમેપ?









Click it and Unblock the Notifications
