For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સ્કોટહોમ એરપોર્ટ પર એર ઇન્ડિયા ફ્લાઈટ બિલ્ડીંગ સાથે અથડાઈ

એર ઇન્ડિયા ફ્લાઈટ માં મુસાફરી કરી રહેલા યાત્રીઓ તે સમયે માંડ બચ્યા જયારે ફ્લાઈટ એક બિલ્ડીંગ સાથે અથડાઈ.

|
Google Oneindia Gujarati News

એર ઇન્ડિયા ફ્લાઈટ માં મુસાફરી કરી રહેલા યાત્રીઓ તે સમયે માંડ બચ્યા જયારે ફ્લાઈટ એક બિલ્ડીંગ સાથે અથડાઈ. આ વિમાનને વધારે નુકશાન નથી થયું અને તેમાં મુસાફરી કરી રહેલા 179 યાત્રીઓને પણ કોઈ ઇજા નથી પહોંચી. આ ઘટના સ્કોટહોમ એરપોર્ટની છે. સ્કોટહોમ પોલીસ અનુસાર આ ઘટના સવારે 5.45 વાગ્યે થઇ. ઘટનાના કારણ વિશે હજુ સુધી કોઈ જ માહિતી નથી મળી શકી. પોલીસ અનુસાર બધા જ યાત્રીઓને સુરક્ષિત બહાર કાઢી લેવામાં આવ્યા છે. વિમાનની આજુબાજુ રાહત અને બચાવ કામ માટે પોલીસ સહીત ફાયરબ્રિગેડ ગાડીઓ પણ પહોંચી હતી.

air india

જાણકારી અનુસાર દિલ્હીથી સ્કોટહોમ જઈ રહેલી એર ઇન્ડિયા ફ્લાઈટ AI-167 એરપોર્ટ ટર્મિનલ 5 પર ઉતારવાનું હતું. પરંતુ રનવેથી 50 મીટર દૂર જ વિમાન બિલ્ડીંગ સાથે અથડાઈ ગયું. ઘટનાની જે ફોટો સામે આવી રહી છે તેમાં વિમાનની ડાબી પાંખ બિલ્ડિંગમાં ફસાયેલી જોવા મળી રહી છે. તેની સાથે સાથે કેટલીક ફાયરબ્રિગેડ ગાડીઓ અને ટ્રક પણ વિમાન પાસે જોઈ શકાય છે. હજુ સુધી આ ઘટના પાછળનું કારણ જાણવામાં નથી આવ્યું. દુર્ઘટના પછી બધા જ યાત્રીઓને એર ઇન્ડિયાના બીજા વિમાનમાં શિફ્ટ કરવામાં આવ્યા.

આપણે જણાવી દઈએ કે ગયા મહિને તામિલનાડુના તિરુચિરાપલ્લી એરપોર્ટ પર ટેક ઓફ દરમિયાન એર ઇન્ડિયાનું વિમાન એર ટ્રાફિક કંટ્રોલનું દીવાલ સાથે અથડાઈ ગયું હતું. પરંતુ પાયલોટને તેના વિશે કોઈ જ ખબર નહિ પડી અને વિમાન લગભગ 4 કલાક સુધી ઉડતું રહ્યું. ત્યારપછી અધિકારીઓએ પાયલોટને વિમાન અથડાવવાની જાણકારી આપી અને મુંબઈ એરપોર્ટ પર લેન્ડિંગ કરાવી.

English summary
Air India plane carrying 179 passengers struck a building at Stockholm's Arlanda airport
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X