કલમ 370 ભારતનો આંતરીક મામલો, અમે તથ્યો જોવા આવ્યા: EU પ્રતિનિધિ મંડળ
યુરોપિયન યુનિયન (ઈયુ) ના સાંસદોનું પ્રતિનિધિમંડળ મંગળવારે શ્રીનગર પહોંચ્યું હતું, જ્યાંથી તેઓએ શ્રીનગરના ઘણા વિસ્તારોની મુલાકાત લીધી હતી.
યુરોપિયન યુનિયન (ઈયુ) ના સાંસદોનું પ્રતિનિધિમંડળ મંગળવારે શ્રીનગર પહોંચ્યું હતું, જ્યાંથી તેઓએ શ્રીનગરના ઘણા વિસ્તારોની મુલાકાત લીધી હતી. જમ્મુ અને કાશ્મીરની મુલાકાત પછી યુરોપિયન યુનિયનના 23 સભ્યોની પાર્ટીએ ત્યાંની પરિસ્થિતિ વિશે વાત કરી. યુરોપિયન યુનિયનના પ્રતિનિધિ મંડળે કહ્યું હતું કે અમારી મુલાકાત ખોટા દ્રષ્ટિકોણથી જોવામાં આવી હતી, કાશ્મીરના લોકો શાંતિ અને વિકાસ ઇચ્છે છે. ઉલ્લેખનિય છેકે કાશ્મીરના મુદ્દે યુરોપિયન યુનિયન સંસદમાં પણ ચર્ચા થઈ હતી.

ઇયુના સાંસદોના પ્રતિનિધિ મંડળે કહ્યું કે અમે આતંકવાદ સામેની લડતમાં સાથે છીએ. અમે અહીં તથ્યો જોવા આવ્યા છીએ. તેમણે કહ્યું કે આર્ટિકલ 37૦ એ ભારતનો આંતરિક મુદ્દો છે. અમે શાંતિ માટે ભારત અને પાકિસ્તાન વચ્ચેની વાટાઘાટોના પક્ષમાં છીએ અને અમે કાશ્મીરની સ્થિતિ સુધારવામાં મદદ કરીશું. પ્રતિનિધિ મંડળે કહ્યું કે આતંકવાદના મુદ્દા પર સેના સાથે પણ ચર્ચા કરવામાં આવી છે. કાશ્મીરના લોકો વધુ સારી અપેક્ષા રાખે છે. પ્રતિનિધિ મંડળે કહ્યું હતું કે તેઓ આ મુદ્દે યુરોપિયન યુનિયનને રિપોર્ટ આપશે નહીં.
પ્રતિનિધિ મંડળે કહ્યું કે અમે નાઝીવાદી નથી, જો અમે હોત તો કદી ચૂંટાયા ન હોત. તેમણે આ શબ્દના ઉપયોગ પર પણ વાંધો ઉઠાવ્યો હતો. આપને જણાવી દઈએ કે એઆઈએમઆઈએમના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ યુરોપિયન યુનિયનના સાંસદોની તુલના નાઝીવાદીઓ સાથે કરી હતી. કાશ્મીરના લોકો અંગે પ્રતિનિધિ મંડળે કહ્યું કે તેમને ત્યાં વધારે સમય ન મળ્યો અને તેઓ વધુ લોકોને મળી શક્યા નહીં, પરંતુ તેઓ શાંતિ અને વિકાસ ઇચ્છે છે.
તમને જણાવી દઈએ કે સોમવારે યુરોપિયન યુનિયન (ઈયુ) ના સાંસદોનું પ્રતિનિધિ મંડળ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમના નિવાસ સ્થાને મળ્યું હતું. આ સભ્યો રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલને પણ મળ્યા હતા. આ સમય દરમિયાન તેમણે કાશ્મીરના મુદ્દા પર ચર્ચા કરી હતી અને કલમ 370 હટાવ્યા પછી ત્યાંની પરિસ્થિતિ વિશે જાણકારી મેળવી હતી.
આ પણ વાંચો: સરકારે જારી કર્યો 125 રૂપિયાનો સિક્કો, જાણો શું છે તેમાં ખાસિયત
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
Mumbai Ahmedabad Bullet Train: બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હવે પકડશે રોકેટ જેવી રફ્તાર, જાણો લેટેસ્ટ અપડેટ -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
World Water Day 2026: ઉનાળાના પ્રારંભે ગુજરાતના જળાશયોમાં કેટલું પાણી? જાણો 207 ડેમની લેટેસ્ટ સ્થિતિ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
Dhurandhar 2 BO Collection Day 3: ત્રીજા દિવસે રણવીર સિંહની 'ધુરંધર 2'એ મચાવી ધમાલ, કમાણીએ તોડ્યા રેકોર્ડ









Click it and Unblock the Notifications
