પાકિસ્તાનના પેશાવરમાં મસ્જિદમાં ભીષણ ધમાકો, અત્યાર સુધી 61ના મોત, તાલિબાને લીધી જવાબદારી
પાકિસ્તાનની પેશાવર મસ્જિદમાં ભીષણ વિસ્ફોટ થયો. જેમાં અત્યાર સુધીમાં 61 લોકોના મોત થઈ ગયા છે. આ હુમલાની જવાબદારી તાલિબાને લીધી છે.
Pakistan Peshawar Blast: પાકિસ્તાનના પેશાવર શહેરમાં ભીષણ બૉમ્બ બ્લાસ્ટ કરવામાં આવ્યો છે. જેમાં અત્યાર સુધીમાં 61 લોકોના મોત થઈ ગયા છે. વળી, લગભગ 200 લોકોના ઘાયલ થયાના સમાચાર છે. ડૉન ન્યૂઝ ટીવી પર બતાવવામાં આવેલ ફૂટેજ મુજબ પેશાવરના પોલિસ લાયન્સ વિસ્તારમાં એક મસ્જિદમાં વિસ્ફોટની સૂચના મળી છે. વળી, ટેલિવિઝન રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે વિસ્ફોટ જૌહરની નમાઝ વખતે બપોરે લગભગ 1.40 વાગે(સ્થાનિક સમયાનુસાર) થયો હતો. હુમલાની જવાબદારી પાકિસ્તાન તાલિબાન(TTP)એ લીધી છે.

ડૉન ન્યૂઝ ટીવીના જણાવ્યા અનુસાર આ વિસ્તારમાં ઈમરજન્સી લાદવામાં આવી છે અને વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે. જિયો ન્યૂઝે તેના અહેવાલમાં કહ્યુ છે કે હાલમાં 61 લોકોના મોત અને લગભગ 200 લોકો ઘાયલ થયાના સમાચાર છે અને આ બૉમ્બ બ્લાસ્ટ એક આત્મઘાતી હુમલાખોર દ્વારા કરવામાં આવ્યો હતો. સુરક્ષા અધિકારીઓના જણાવ્યા મુજબ આત્મઘાતી બૉમ્બરે વિસ્ફોટ કર્યો ત્યારે તે નમાઝ દરમિયાન આગળની હરોળમાં હતો, જેમાં જૌહરની નમાઝ કરતા ડઝનેક જોહર નમાઝી ઘાયલ થયા હતા. ઘાયલોને પેશાવરની લેડી રીડિંગ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
જિયો ન્યૂઝ મુજબ મોટાભાગના ઘાયલોની હાલત અત્યંત નાજુક હોવાનુ કહેવાય છે. બીજી તરફ, જ્યાં આ બ્લાસ્ટ થયો છે તે વીઆઈપી વિસ્તાર છે અને વરિષ્ઠ પોલીસ અધિકારીઓના ઘર છે. રિપોર્ટ મુજબ આ વિસ્ફોટ પોલીસ લાઇન વિસ્તારમાં બન્યો હતો, તેથી મસ્જિદમાં મોટાભાગના નમાઝી પોલીસકર્મીઓ હતા. વળી, એ વાતની પુષ્ટિ કરવામાં આવી છે કે વિસ્ફોટ દરમિયાન 400થી વધુ લોકો મસ્જિદમાં હતા અને વિસ્ફોટ પછી, મસ્જિદ સંપૂર્ણપણે ધરાશાયી થઈ ગઈ છે અને કાટમાળમાં ઘણા લોકો ફસાયા હોવાના અહેવાલો પણ નોંધાયા છે. મસ્જિદમાં ચાર સ્તરની સુરક્ષા હતી. મસ્જિદની સુરક્ષા માટે લગભગ 300 પોલીસકર્મીઓ તૈનાત હતા. હવે સવાલો ઉઠી રહ્યા છે કે આતંકવાદીઓ તેમાં ઘૂસવામાં કેવી રીતે સફળ થયા.
پشاور میں پولیس لائنز کی مسجد میں نماز ظہر کے دوران دھماکے کے نتیجے میں ابھی تک کی اطلاعات کے مطابق 50 افراز زخمی ہیں۔#Peshawar pic.twitter.com/XxRn1dFA7u
— Khurram Iqbal (@khurram143) January 30, 2023
-
તમિલનાડુના રાજકારણમાં મોટી ઉથલપાથલ, શશિકલાએ નવી પાર્ટીની જાહેરાત કરી -
Gujarat Titans Schedule: ગુજરાત ટાઇટન્સ આ દિવસે રમાશે પ્રથમ મેચ, રાજસ્થાન અને દિલ્હી સામે પણ થશે જોરદાર ટક્કર -
Gujarat Weather: રાજ્યના આ જિલ્લાઓમાં ગરમીનું યલો એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: 13 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2: ક્યારે અને ક્યાં જોઈ શકશો રણવીર સિંહની 'ધુરંધર 2', આવી ગઈ સંપૂર્ણ વિગતો -
Israel Iran War: શું સંકટ વચ્ચે ભારતમાં સસ્તું થશે Petrol-Diesel? શું છે સમુદ્ર પર તરતું 'ઓઇલ માર્કેટ'? -
T20 World Cup જીત્યા બાદ મોહમ્મદ સિરાજ પર આ હસીનાએ વરસાવ્યો પ્રેમ! જાહેરમાં કહી દિલની વાત -
IMD Weather Forecast Today: ગુજરાત-રાજસ્થાનમાં હીટવેવની આશંકા, યુપી-બિહાર સહિત 5 રાજ્યોમાં વરસાદનું એલર્ટ -
ખેડૂતો માટે ખુશખબર: ગુજરાત સરકારનો મોટો નિર્ણય, સિંચાઈ માટે કેનાલમાંથી અપાશે પાણી -
પીએમ કિસાનનો 22મો હપ્તો જારી કરાયો, આવી રીતે કરો ચેક -
Petrol Diesel Price: 14 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
LPG સિલિન્ડરને લઈને સરકારનો લુલો બચાવ, સંસદમાં કોઈ અછત ન હોવાનું ગાણું ગાયું










Click it and Unblock the Notifications
