પાકિસ્તાનના પેશાવરમાં મસ્જિદમાં ભીષણ ધમાકો, અત્યાર સુધી 61ના મોત, તાલિબાને લીધી જવાબદારી
પાકિસ્તાનની પેશાવર મસ્જિદમાં ભીષણ વિસ્ફોટ થયો. જેમાં અત્યાર સુધીમાં 61 લોકોના મોત થઈ ગયા છે. આ હુમલાની જવાબદારી તાલિબાને લીધી છે.
Pakistan Peshawar Blast: પાકિસ્તાનના પેશાવર શહેરમાં ભીષણ બૉમ્બ બ્લાસ્ટ કરવામાં આવ્યો છે. જેમાં અત્યાર સુધીમાં 61 લોકોના મોત થઈ ગયા છે. વળી, લગભગ 200 લોકોના ઘાયલ થયાના સમાચાર છે. ડૉન ન્યૂઝ ટીવી પર બતાવવામાં આવેલ ફૂટેજ મુજબ પેશાવરના પોલિસ લાયન્સ વિસ્તારમાં એક મસ્જિદમાં વિસ્ફોટની સૂચના મળી છે. વળી, ટેલિવિઝન રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે વિસ્ફોટ જૌહરની નમાઝ વખતે બપોરે લગભગ 1.40 વાગે(સ્થાનિક સમયાનુસાર) થયો હતો. હુમલાની જવાબદારી પાકિસ્તાન તાલિબાન(TTP)એ લીધી છે.

ડૉન ન્યૂઝ ટીવીના જણાવ્યા અનુસાર આ વિસ્તારમાં ઈમરજન્સી લાદવામાં આવી છે અને વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે. જિયો ન્યૂઝે તેના અહેવાલમાં કહ્યુ છે કે હાલમાં 61 લોકોના મોત અને લગભગ 200 લોકો ઘાયલ થયાના સમાચાર છે અને આ બૉમ્બ બ્લાસ્ટ એક આત્મઘાતી હુમલાખોર દ્વારા કરવામાં આવ્યો હતો. સુરક્ષા અધિકારીઓના જણાવ્યા મુજબ આત્મઘાતી બૉમ્બરે વિસ્ફોટ કર્યો ત્યારે તે નમાઝ દરમિયાન આગળની હરોળમાં હતો, જેમાં જૌહરની નમાઝ કરતા ડઝનેક જોહર નમાઝી ઘાયલ થયા હતા. ઘાયલોને પેશાવરની લેડી રીડિંગ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
જિયો ન્યૂઝ મુજબ મોટાભાગના ઘાયલોની હાલત અત્યંત નાજુક હોવાનુ કહેવાય છે. બીજી તરફ, જ્યાં આ બ્લાસ્ટ થયો છે તે વીઆઈપી વિસ્તાર છે અને વરિષ્ઠ પોલીસ અધિકારીઓના ઘર છે. રિપોર્ટ મુજબ આ વિસ્ફોટ પોલીસ લાઇન વિસ્તારમાં બન્યો હતો, તેથી મસ્જિદમાં મોટાભાગના નમાઝી પોલીસકર્મીઓ હતા. વળી, એ વાતની પુષ્ટિ કરવામાં આવી છે કે વિસ્ફોટ દરમિયાન 400થી વધુ લોકો મસ્જિદમાં હતા અને વિસ્ફોટ પછી, મસ્જિદ સંપૂર્ણપણે ધરાશાયી થઈ ગઈ છે અને કાટમાળમાં ઘણા લોકો ફસાયા હોવાના અહેવાલો પણ નોંધાયા છે. મસ્જિદમાં ચાર સ્તરની સુરક્ષા હતી. મસ્જિદની સુરક્ષા માટે લગભગ 300 પોલીસકર્મીઓ તૈનાત હતા. હવે સવાલો ઉઠી રહ્યા છે કે આતંકવાદીઓ તેમાં ઘૂસવામાં કેવી રીતે સફળ થયા.
پشاور میں پولیس لائنز کی مسجد میں نماز ظہر کے دوران دھماکے کے نتیجے میں ابھی تک کی اطلاعات کے مطابق 50 افراز زخمی ہیں۔#Peshawar pic.twitter.com/XxRn1dFA7u
— Khurram Iqbal (@khurram143) January 30, 2023
-
DC vs GT Weather Update: દિલ્હીમાં વરસાદનું સંકટ; જાણો ગુજરાત ટાઇટન્સ સામેની મેચ રમાશે કે નહીં? -
ડિનર ડિપ્લોમસી: ઈરાન-અમેરિકા યુદ્ધ વચ્ચે ટ્રમ્પનું સર્જિયો ગૌર સાથે ડિનર, શું આ માત્ર સંયોગ છે? -
Video: ક્યાં છે કોંગ્રેસ નેતા પવન ખેરા? વીડિયોએ ખોલી દીધું રહસ્ય, હિમંતા-પાસપોર્ટ કેસમાં પાછળ પડી છે પોલીસ -
ઈરાન-અમેરિકા યુદ્ધવિરામ: ટ્રમ્પે પાકિસ્તાનની અપીલ સ્વીકારી, 14 દિવસ સુધી અમેરિકી બોમ્બમારો બંધ રહેશે, ઈરાનનું -
US-Iran Ceasefire: ક્રૂડ ઓઈલના ભાવમાં 14% નો ઘટાડો, ભારતીય બજાર અને અર્થતંત્ર પર કેવી થશે અસર -
સુપ્રસિદ્ધ રોમાનિયન ફૂટબોલ ખેલાડી અને કોચ મિર્સિયા લુસેસ્કુનું ૮૦ વર્ષની વયે અવસાન -
બંગાળની 2026 વિધાનસભા ચૂંટણી: નવા ચૂંટણી નકશાએ TMCના ગઢ અને ભાજપના માટુઆ બેઝને વિક્ષેપિત કર્યો -
આગામી વિધાનસભા ચૂંટણી માટે મતદાન પ્રક્રિયાનું નિરીક્ષણ કરવા માટે વિદેશી પ્રતિનિધિમંડળ કેરળ પહોંચ્યું -
પીએમ-કુસુમ યોજનાનો પ્રથમ તબક્કો કૃષિમાં સૌર ઉર્જા લક્ષ્યાંકો પ્રાપ્ત કરવામાં નિષ્ફળ ગયો -
કોંગ્રેસ પ્રમુખ ખડગેના વિવાદાસ્પદ નિવેદન સામે ગુજરાતી સમુદાયે દિલ્હીમાં વિરોધ પ્રદર્શન કર્યું -
પત્રકારની ગેરકાયદેસર અટકાયત અને ત્રાસના આરોપો અંગે NHRCએ ગુજરાતના DGPને નોટિસ ફટકારી -
ભારત યુએન આર્થિક અને સામાજિક પરિષદ સંસ્થાઓમાં ચૂંટાયું












Click it and Unblock the Notifications
