પાકિસ્તાનના લાહોરમાં મૉલ રોડ પર બોમ્બ વિસ્ફોટ, 16નું મૃત્યુ
પાકિસ્તાનના લાહોરમાં પંજાબ વિધાનસભા પાસે થયેલા બોમ્બ વિસ્ફોટમાં ઓછામાં ઓછા 16 લોકોનું મૃત્યુ થયું છે.
પાકિસ્તાન ના લાહોર માં પંજાબ વિધાનસભા પાસે થયેલા બોમ્બ વિસ્ફોટ માં ઓછામાં ઓછા 16 લોકોનું મૃત્યુ થયું છે અને 60 લોકો ઇજાગ્રસ્ત થયા છે. સોમવારના રોજ લોકો પંજાબ વિધાનસભાની બહાર પ્રદર્શન કરી રહ્યાં હતા ત્યારે આ વિસ્ફોટ થયો હતો. ઉપલબ્ધ જાણકારી અનુસાર કેમિસ્ટ અને ફૉર્માસ્યુટિકલ મેન્યુફેક્ચર્સ પંજાબ વિધાનસભાની બહાર પ્રદર્શન કરી રહ્યાં હતા.

પંજાબના આરોગ્ય મંત્રીએ આ વાતની પુષ્ટિ કરતાં કહ્યું કે, 60 લોકો આ બોમ્બ વિસ્ફોટમાં ઘાયલ થયા છે. આ બોમ્બ વિસ્ફોટમાં એસએસપી જાહિદ ગોંડલ અને ડીઇજી ટ્રાફિક લાહોર કેપ્ટન રિટાયર્ડ અહમદ મોબિનનું મૃત્યુ થયું છે. ટીવી ચેનલો પર આવેલા અહેવાલ અનુસાર બોમ્બ વિસ્ફોટ પહેલાં ડીઇજી રસ્તા પરનો ટ્રાફિક ક્લિયર કરવાનો પ્રયત્ન કરી રહ્યાં હતા.
ઉપલબ્ધ જાણકારી અનુસાર, 400થી વધુની સંખ્યામાં કેમિસ્ટ અને ફૉર્માસ્યુટિકલ મેન્યુફેક્ચર્સ પંજાબ વિધાનસભાની બહાર પ્રદર્શન કરી રહ્યાં હતા. ત્યારે વિધાનસભાની બહાર મૉલ રોડ પર આત્મઘાતી બોમ્બે પોતાની જાતને ઉડાવી દેતાં મોટો વિસ્ફોટ થયો હતો. બોમ્બ વિસ્ફોટ બાદ ઘાયલ થયેલા લોકોને હોસ્પિટલ પહોંચાડવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી.
આ બોમ્બ વિસ્ફોટ બાદ પાકિસ્તાની આર્મી અને રેજર્સ પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને લાહોરની તમામ હોસ્પિટલોમાં કટોકટી જાહેર કરવામાં આવી હતી. ફોરેન્સિક વિભાગની ટીમે પણ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.
ઉલ્લેખનીય છે કે, નેશનલ કાઉન્ટર ટેરેરિઝમ ઓથોરિટીએ 7 ફેબ્રુઆરીના રોજ જ પંજાબ હોમ સેક્રેટરી અને પ્રોવિશિયલ પોલીસ ઓફિસર અને ડીજી પાક રેજર્સને સૂચના આપી હતી કે, કોઇ આતંકી હુમલો થઇ શકે છે.
-
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
KKR vs SRH: ઈડન ગાર્ડન્સની પિચ પર બેટર્સની મોજ કે બોલર્સનો ખૌફ? જાણો વેધર રિપોર્ટ -
દ્નારકા પંથકમાં કમોસમી વરસાદ, આ જિલ્લાઓમાં પણ આગાહી -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં કમોસમી વરસાદનું સંકટ: બે સિસ્ટમ સક્રિય થતાં 4 એપ્રિલ સુધી માવઠાની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ -
ખંભાળિયામાં આમ આદમી પાર્ટી-પોલીસ વચ્ચે ઘર્ષણ, જાણો કારણ -
હોટલોમાં હવે પનીર અસલી કે એનાલોગ? બોર્ડ મારવા સરકારનો આદેશ










Click it and Unblock the Notifications
