Buddhist Monastery Attack : મ્યાનમાર સેનાએ બૌદ્ધ મઠમાં લોકો પર કર્યો ગોળીબાર, 28 મોત
Buddhist Monastery Attack : શાન પ્રાંત, થાઈલેન્ડની સરહદે આવેલા રાજ્ય, બળવા બાદથી સેનાના ઉગ્ર વિરોધનો સામનો કરી રહ્યું છે. આ જ કારણ છે કે, મ્યાનમારમાં હિંસક અથડામણ સામાન્ય બની ગઈ છે.
Buddhist Monastery Attack : મ્યનમાર આર્મી દ્વારા એક બૌદ્ધ મઠ પર ગોળીબાર કરવામાં આવ્યો હતો. જેમાં 28 લોકો મોતને ઘાટ ઉતરી દેવામાં આવ્યા હતા. મ્યાનમારના શાન રાજ્યના એક ગામમાં આ હુમલાને અંજામ આપ્યો હતો. એક વિદ્રોહી સંગઠન કારેન્ની નેશનલિસ્ટ ડિફેન્સ ફોર્સે આ અંગે દાવો કર્યો છે. મ્યાનમારમાં સેના તખ્તાપલટને બે વર્ષ થયા છે. જે બાદ પાડોશી દેશમાં સેના અને વિદ્રોહી સંગઠનો વચ્ચે સતત હિંસા થતી રહે છે. તાજેતરમાં આ લડાઇની ઘટનામાં વધારો થયો છે.

KNDFએ જણાવ્યું હતું કે, શનિવારના રોજ મ્યાનમારની સેનાએ શાન પ્રાંતના એક ગામમાં હુમલો કર્યો હતો. આ હુમલામાં મ્યાનમારની એરફોર્સ અને સેના બંનેએ સંયુક્ત કાર્યવાહી કરી હતી. સેનાના હુમલાથી બચવા માટે લોકો ગામના બૌદ્ધ મઠમાં છૂપાઈ ગયા હતા, પરંતુ ત્યાં પણ સેનાએ પોતાનો જીવ ન છોડ્યો હતો.
KNDFનું કહેવું છે કે, સેનાના હુમલામાં 28થી વધુ લોકોના મોત થયા છે. મ્યાનમારના મીડિયામાં પ્રકાશિત અહેવાલો અનુસાર, સેનાએ લોકોને મઠની દિવાલની સામે ઉભા કરી દીધા અને ગોળી મારી દીધી હતી. મૃત્યુ પામનારાઓમાં આશ્રમના સાધુઓ પણ સામેલ છે.
મ્યાનમારની સેનાનો આ હુમલો એટલો નિર્દય હતો કે, ગામના ઘણા ઘરોને પણ આગ ચાંપી દેવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, શાન પ્રાંત થાઈલેન્ડની સરહદે આવેલું રાજ્ય છે અને તખ્તાપલટ બાદથી અહીં સેનાને ભારે વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. આ જ કારણ છે કે, અહીં હિંસક અથડામણ સામાન્ય બની ગઈ છે. કારેન્ની સંગઠન સૈન્ય વિરોધી છે અને તેમનો ગઢ શાન પ્રાંતની રાજધાની નાન નેઈન છે. જોકે, છેલ્લા કેટલાક સમયથી મ્યાનમારની સેના આ વિસ્તારમાં પોતાની પકડ મજબૂત કરી રહી છે.

આ યુદ્ધમાં 2900 લોકોના મોત થઇ ચૂક્યા છે
ઉલ્લેખનીય છે કે, મ્યાનમારમાં વર્ષ 2021માં સેનાએ સરકારને ઉથલાવીને સત્તા પર કબ્જો કર્યો હતો. ત્યારથી દેશમાં હિંસા ચાલુ છે. આ હિંસાને કારણે મ્યાનમારમાં અત્યાર સુધીમાં 40 હજાર લોકો બેઘર થઈ ગયા છે. 80 લાખ બાળકો શાળાએ જઈ શકતા નથી અને 15 મિલિયન લોકો કુપોષિત છે. અત્યાર સુધી સત્તાવાર આંકડાઓ અનુસાર આ યુદ્ધમાં 2900 લોકોના મોત થઇ ચૂક્યા છે.
-
Petrol Diesel Price: 11 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL પહેલા BCCIએ પ્રીતિ ઝિન્ટાને આપ્યો મોટો ઝટકો, પંજાબ કિંગ્સ શરૂઆતની મેચમાંથી બહાર -
Gujarat News: ઉનાળામાં બાળકને લૂ લાગી શકે, શાળાઓ સવારની કરવા ઉઠી માંગ -
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
T20 World Cup : વર્લ્ડ કપ જીત્યા બાદ ઈશાન કિશને ગર્લફ્રેન્ડ સાથે ઉજવણી કરી, જુઓ ફોટો -
T20 world cup : સુર્યકુમાર યાદવ નિવૃતિ લેશે? જાણો ખુદ શું કહ્યું? -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
IND vs NZ: કોહલી સાથે ખાસ ક્લબમાં સંજુ સેમસન સામેલ, ટીમ ઈન્ડિયાએ બનાવ્યો ઐતિહાસિક વર્લ્ડ રેકોર્ડ -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ઈરાન-અમેરિકા યુદ્ધમાં ભારત કયા પક્ષમાં? સંસદમાં શું કહ્યું સરકારે?





Click it and Unblock the Notifications
