દેવયાની કેસમાં અમેરિકાની આડોડાઇ: નહીં લે કેસ પાછો, નહી માંગે માફી
વોશિંગ્ટન, 20 ડિસેમ્બર: અમેરિકાએ ભારતીય મહિલા રાજદૂત દેવયાની ખોબરાગડેના મામલે આરોપ પાછા લેવા અને તેની સાથે થયેલા અવ્યવહાર બદલ માફી માગવાની બંને માગોનો સ્વીકાર કરવાનો ઇનકાર કરી દીધો છે. દેવયાનીને ગયા સપ્તાહે ન્યૂયોર્કમાં ધરપકડ કરવામાં આવી હતી.
વિદેશ વિભાગની પ્રવક્તા મેરી હર્ફે જણાવ્યું કે 'અમે આ આરોપોને ખૂબ જ ગંભીરતાથી લીધા છે. અમે આ આરોપોથી કોઇપણ સંજોગોમાં પાછા નહીં હટીએ. ફરીથી જણાવી દઉ કે આ કાયદાના પાલનનો મુદ્દો છે.' એવું પૂછાતા કે શું દેવયાનીને છોડી મૂકવામાં આવશે અને અમેરિકન કોર્ટમાંથી આરોપોને રદ કરી દેવાના આદેશ આપવામાં આવશે? હર્ફે જણાવ્યું કે નહીં. રાજદૂતની વિરુધ્ધ આરોપોને રદ કરવાનો ઇનકાર કરતા તેમણે જણાવ્યું કે મને ફરિયાદની વિગતવાર માહિતી નથી અને મને નથી લાગતું કે ફરિયાદ પાછી લેવા પર કોઇ વિચાર કરી રહ્યું છે.
મહારાષ્ટ્રના પૂર્વ વરિષ્ઠ અધિકારી અને ન્યૂયોર્કમાં નિયૂક્ત ભારતીય નાયબ કોન્સલ જનરલ દેવયાની ખોબરાગડેના પિતા ઉત્તમ ખોબરાગડેએ ગુરુવારે ચેતાવણી આપતા જણાવ્યું કે જો અમેરિકામાં તેમની પુત્રીને ન્યાય નહીં મળ્યો તો તેઓ ભૂખ હડતાળ કરશે. ઉત્તમ ખોબરાગડેએ જણાવ્યું કે હું હવેના ઘટનાક્રમની રાહ જોઇશ અને આવતા અઠવાડીએ દિલ્હી જઇશ. હું ત્યાં વડાપ્રધાન મનમોહન સિંહને મળીશ અને યુપીએની અધ્યક્ષા સોનિયા ગાંધીને મળવાની કોશિશ કરીશ. પરંતુ જો મારી પુત્રીને ન્યાય નહીં મળ્યો તો હું ભૂખ હડતાળ કરીશ.

-
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી







Click it and Unblock the Notifications
