આફ્રિકાના કોંગોમાં ભારતીયો પર હુમલો
બીબીસીના એક અહેવાલ અનુસાર, પ્રદર્શનકારી જલંઘરમાં કોંગોના 21 છાત્રોની ધરપકડથી ગુસ્સે હતા. કિશાંસાના મધ્ય વિસ્તારમાં સ્થિત ભારતીય અને પાકિસ્તાનીઓની દૂકાનોને બુધવારે સવારે નિશાન બનાવવામાં આવી, જેના કારણે દુકાનો દિવસભર બંધ રહી.
એક ભારતીય કર્મચારીના જણાવ્યા પ્રમાણે,' હું સુપરમાર્કેટમાં હતો અને કેટલાક લોકોએ મને કહ્યું કે, જો તુ અહીથી ગયો તો અમે તારું ગળું કાપી નાંખીશું. જ્યાં સુધી મારા બોસ આવ્યા નહીં ત્યાં સુધી હું ત્યાં છૂપાઇને બેસી રહ્યો. ત્યારબાદ હું કારમાં બેસીને ત્યાંથી ભાગી છૂટ્યો, જ્યારે હું કારમા જઇ રહ્યો હતો ત્યારે તેઓ બુમો પાડી રહ્યાં હતા કે તેને પકડો... તેને પકડો.'
એક કલાક બાદ પોલીસે આવીને મામલો શાંત કર્યો. ભારતમાં કોંગોના વિદ્યાર્થીની શા માટે ધરપકડ કરવામા આવી તેને લઇને વિરોધાભાસી નિવદેન જાણવા મળી રહ્યાં છે. પોલીસ પર તેમની સાથે દુર્વ્યવહાર કરવાનો આરોપ પણ લગાવવામાં આવી રહ્યો છે, પરંતુ કોંગોમાં ભારતના રાજદૂત રામ મનોહરે કહ્યું કે, પોલીસે છાત્રો સાથે મારપીટ કરી નથી, પરંતુ ધરપકડ દરમિયાન થોડીક હિંસા જરૂરથી થઇ હતી. તેમણે કહ્યું કે, બુધવારે બપોરે 21માંથી 17 વિદ્યાર્થીઓને છોડી મુકવામાં આવ્યા હતા.