સીમા પર તણાવ ઘટાડવા ભારત-ચીન વચ્ચે આ 5 સૂત્રીય સહમતી બની

સીમા પર તણાવ ઘટાડવા ભારત-ચીન વચ્ચે આ 5 સૂત્રીય સહમતી બની

નવી દિલ્હીઃ ભારત-ચીન વચ્ચે સીમા વિવાદ મામલે મૉસ્કોમાં ભારત અને ચીનના વિદેશ મંત્રાલયની મુલાકાત થઈ. વિદેશ મંત્રી એસ જયશંકરે ચીની વિદેશ મંત્રી વાંગ યી સાથે મેરેથોન મુલાકાત કરી. આ બેઠક દરમ્યાન ભારત-ચીન પર તણાવ ખતમ કરવા માટે બંને દેશ વચ્ચે 5 સૂત્રીય સહમતી બની છે. બંને દેશોએ સીમા પર તણાવ ઘટાડવાની દિશામાં સહમતી દર્શાવી છે.

ભારત-ચીન વચ્ચે પાંચ સૂત્રીય સમહતી

ભારત-ચીન વચ્ચે પાંચ સૂત્રીય સમહતી

ભારત-ચીન સીમા પર બંને દેશ વચ્ચે ઉદ્ભવેલ તણાવ ઘટાડવા માટે ચીન અને ભારતના વિદેશ મંત્રીઓની મૉસ્કોમાં મુલાકાત થઈ. ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર અને ચીની સમકક્ષ વાંગ યી વચ્ચે આ મુલાકાત અઢી કલાક લાંબી ચાલી. આ મુલાકાત વિશે ભારતીય વિદેશ મંત્રાલય તરફથી આપવામાં આવેલી જાણકારી મુજબ બંને દેશ વચ્ચે પાંચ સૂત્રીય સહમતી બની છે. આ મુલાકાત દરમ્યાન બંને દેશના નેતાઓએ માન્યું કે ભારત-ચીન સંબંધોને વિકસિત કરવા માટે બંને પક્ષોના નેતાઓની બંને દેશો વચ્ચે મતભેદોનો વિવાદ બનવા દેવો ના જોઈએ.

બંને દેશો વચ્ચે સંવાદ ચાલુ રાખવા પર સહમતી

બંને દેશો વચ્ચે સંવાદ ચાલુ રાખવા પર સહમતી

વિદેશ મંત્રાલય તરફથી આપવામા આવેલી જાણકારી મુજબ આ મુલાકાત દરમ્યાન બંને દેશના નેતાઓએ માન્યું કે સીમા પર તણાવ ઘટાડવા માટે અને સ્થિતિને યથાસ્થતિિ બનાવી રાખવા માટે સંવાદ ચાલુ રાખવો જરૂરી છે. ભારત અને ચીનના વિદેશ મંત્રીઓએ માન્યું કે આપસી સંવાદ ચાલુ રાખવો જોઈએ. સીમા વિવાદની સાથોસાથ ભારત અને ચીન વચ્ચે થયેલ ઘટનાક્રમ પર પણ ચર્ચા કરી.

સૈનિકો હટાડવાની પ્રક્રિયામાં તેજી

સૈનિકો હટાડવાની પ્રક્રિયામાં તેજી

આ ચર્ચા દરમ્યાન બંને દેશોએ માન્યું કે જલદી જ સૈનિકોને હટાવવાની પ્રક્રિયામાં તેજીલાવવી જોઈએ. તેમણે માન્યું કે, બંને દેશોના સૈનિકો વચ્ચે યોગ્ય દૂરી બનાવી રાખવી જોઈએ અને સીમા પર તણઆવ ઘટાડવો જોઈએ. એ વાતને લઈને પણ ચર્ચા થઈ કે ભારત-ચીન વચ્ચે સીમાવર્તી વિસ્તારોના મેનેજમેન્ટને લઈ સમજૂતીનું સંપૂર્ણપણે પાલન થવું જોઈએ.

વાતચીત માટે ભારત તૈયાર

વાતચીત માટે ભારત તૈયાર

આ મુલાકાત દરમ્યાન ચીની વિદેશ મંત્રી વાંગ લીએ કહ્યું કે પાડોસી હોવાને નાતે બંને દેશો વચ્ચે તણાવ હોવો કોઈ મોટી વાત નથી, પરંતુ તેની અસર સંબંધો પર ના પડવી જોઈએ. તેમણે કહ્યું કે સીમાવર્તી સૈનિકોએ જલદી જ પાછળ હટી જવું જોઈએ જેથી સ્થિતિ ખરાબ ના થઈ શકે. તેમણે કહ્યું કે ચીન ભારત સાથે વાતચીત માટે હંમેશા તૈયાર છે. જ્યારે ભારતીય વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું કે ભારત સીમા પર તણાવ વધારવા નથી માંગતો. ભારતે ચીનને લઈ પોતાની નીતિ બદલી છે, આવી જ ઉમ્મીદ ચીન પાસેથી પણ કરવામાં આવી રહી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X