આજે પાકિસ્તાનમાં ભારત વિરોધી રેલીનું આયોજન કરતો હાફીઝ સઇદ
ઇસ્લામાબાદ, 6 સપ્ટેમ્બર : ભારતમાં પ્રતિબંધિત આતંકવાદી સંગઠન લશ્કર એ તૈબાના નવા ચહેરાવાળા સંગઠન જમાત ઉદ દાવા (જેયુડી)એ પાકિસ્તાનમાં આજે શુક્રવારે ભારત વિરોધી રેલીનું આયોજન કર્યું છે. લશ્કર એ તૈબાના સંસ્થાપક અને વર્ષ 2008માં 26/11ના રોજ મુંબઇમાં થયેલા લોહિયાળ હુમલાઓના માસ્ટર માઇન્ડ હાફીઝ સઇદ આ રેલીની આગેવાની કરવાનો છે.
નિયંત્રણ રેખા પર ગોળીબર અંગે ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવની વચ્ચે જેયુડીએ પોતાના કાર્યકર્તાઓ, પાકિસ્તાનના અન્ય રાજકીય પક્ષો અને ધાર્મિક સંગઠનોને શુક્રવારે રાવલપિંડીમાં એકત્ર થવાની અપીલ કરી હતી.

આ રેલીને દફાઇ પાકિસ્તાન કારવાં નામ આપવામાં આવ્યું છે. ભારત વિરોધી આ રેલી નો આરંભ રાવલપિંડીથી થશે અને તે ઇસ્લામાબાદ ખાતે પૂરી થશે. રેલી ઇસ્લામાબાદ પહોંચશે તે પછી ત્યાં એક વિશાળ જન સભાનું આયોજન કરવામાં આવ્યું છે. જેયુડીનો દાવો છે કે આ રેલીમાં તેના હજારો સમર્થકો જોડાવાના છે.
આ રેલી માટે હાફીઝે સત્તારૂઢ પીએમએલ-એન ઉપરાંત પીપીપી, પીટીઆઇ, પીએમએલ-ક્યુ, જેયુઆઇએફ, જેયુઆઇ-એસ, જમાત એ ઇસ્લામી અને એમક્યૂએમ જેવી પાર્ટીઓને પણ આ રેલીમાં સામેલ થવા માટે આમંત્રણ આપ્યું છે. તેણે હુર્રિયત કોન્ફ્રેન્સના નેતાઓને પણ રેલીમાં જોડાવા જણાવ્યું છે.
-
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા









Click it and Unblock the Notifications
