નેપાળમાં હેલિકોપ્ટર ક્રેશ થયુ, 5 લોકોના મોત, 1 લાપતા
મંગળવારે નેપાળમાં છ મુસાફરોને લઈ જતું હેલિકોપ્ટર અચાનક ગુમ થઈ ગયું હતું. ત્રિભુવન ઈન્ટરનેશનલ એરપોર્ટ (TIA)ના મેનેજર જ્ઞાનેન્દ્ર ભુલે કાઠમંડુ પોસ્ટ અખબારને જણાવ્યું કે, માનંગ એરના હેલિકોપ્ટર 9N-AMVએ સોલુખુમ્બુના સુર્કી એરપોર્ટથી સવારે 10.04 વાગ્યે કાઠમંડુ માટે ઉડાન ભરી હતી. સવારે 10.13 કલાકે 12,000 ફૂટની ઉંચાઈ પર તેનો અચાનક સંપર્ક તૂટી ગયો હતો.

'હિમાલયન ટાઈમ્સ' અખબારે એક સ્ત્રોતને ટાંકીને જણાવ્યું હતું કે પ્રારંભિક અહેવાલો અનુસાર, પાયલોટ ચેત ગુરુંગ સહિત કુલ છ લોકો હેલિકોપ્ટરમાં સવાર હતા. આમાં પાંચ નાગરિકો મેક્સિકોના છે અને પાયલટ વરિષ્ઠ કેપ્ટન ચેત બી. ગુરુંગ છે. મેક્સિકોથી આવેલા મુસાફરોની ઓળખ હજુ સુધી જાહેર કરવામાં આવી નથી.
નેપાળના સોલુખુભુથી કાઠમંડુ જઈ રહેલું હેલિકોપ્ટર ગુમ થયા બાદ ક્રેશ થયું હતું. હેલિકોપ્ટરમાં સવાર છ લોકોમાંથી પાંચના મૃતદેહ સ્થળ પરથી જ મળી આવ્યા છે. જણાવવામાં આવ્યું છે કે હેલિકોપ્ટરનો કંટ્રોલ ટાવર સાથે સવારે 10 વાગ્યે સંપર્ક તૂટી ગયો હતો. ત્યારથી હેલિકોપ્ટર વિશે કોઈ માહિતી મળી નથી.
A helicopter with 6 people on board has gone missing in Nepal.
— ANI (@ANI) July 11, 2023
“The chopper was en route to Kathmandu from Solukhumbu and got disconnected with the control tower at around 10 in the morning,” Information Officer Gyanendra Bhul.
The helicopter with the call sign 9NMV got off… pic.twitter.com/w1x0qM0QIW












Click it and Unblock the Notifications
