ISIS એ કોઈ ખતરો નથી, તે એક મોટો માથાનો દુઃખાવો છે
તાલિબાનોએ 15 ઓગસ્ટના રોજ અફઘાનિસ્તાનમાં પોતાનું શાસન જાહેર કર્યું હતું, પરંતુ હવે તાલિબાનોએ કહ્યું છે કે, ISIS અફઘાનિસ્તાન માટે માથાનો દુઃખાવો છે. જો કે તાલિબાને દાવો કર્યો છે કે, ISIS ને ખૂબ જ જલ્દી દબાવવામાં આવશે.
કાબુલ : તાલિબાનોએ 15 ઓગસ્ટના રોજ અફઘાનિસ્તાનમાં પોતાનું શાસન જાહેર કર્યું હતું, પરંતુ હવે તાલિબાનોએ કહ્યું છે કે, ISIS અફઘાનિસ્તાન માટે માથાનો દુઃખાવો છે. જો કે તાલિબાને દાવો કર્યો છે કે, ISIS ને ખૂબ જ જલ્દી દબાવવામાં આવશે, પરંતુ આ દિવસોમાં અફઘાનિસ્તાનના ઘણા ભાગોમાં તાલિબાન અને ISIS વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે.

ISIS તાલિબાન માટે માથાનો દુઃખાવો છે
ટોલો ન્યૂઝ દ્વારા તાલિબાનના માહિતી અને સંસ્કૃતિ મંત્રી ઝબીઉલ્લાહ મુજાહિદને ટાંકીને કહેવામાં આવ્યું છે કે, અમે દાઈશ (ISIS) ને ખતરો નથી માનતા, પરંતુ અમે તેને માથાનો દુઃખાવો કહીએ છીએ. તાલિબાને આ સપ્તાહની શરૂઆતમાં કાબુલના ઉત્તરીય ઉપનગરમાં ISIS સામે ઓપરેશન ચલાવામાં આવ્યું હતું. જેમાં ISIS - ખોરાસન શાખાના ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા હતા. ISIS કેટલીક જગ્યાએ માથાનો દુઃખાવો કરે છે, પરંતુ દરેક ઘટના બાદ ISIS ના લોકોને મારવામાં આવી રહ્યા છે, અથવા તો તેઓ છૂપાઇ રહ્યા છે.

ISIS સામે અભિયાન
અફઘાનિસ્તાનમાં સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર તાલિબાન દ્વારા ISISને નામશેષ કરવા માટે સતત ઓપરેશન કરવામાં આવી રહ્યા છે, જેમાં બંને પક્ષોના લોકો માર્યા રહ્યા છે. આત્મઘાતી બોમ્બરે ઈદગાહ મસ્જિદમાં વિસ્ફોટ કર્યા બાદ આ કામગીરી શરૂ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, ઈદગાહ મસ્જિદમાં એક આત્મઘાતી બોમ્બરે પોતાને ઉડાવી દીધો હતો, જેમાં મસ્જિદમાં નમાજ પઢતા ઘણા નિર્દોષ લોકો માર્યા ગયા હતા. ત્યારથી તાલિબાન ISIS વિરુદ્ધ અભિયાન ચલાવી રહ્યું છે. રિપોર્ટ અનુસાર ISISના પ્રવક્તા ઝબીઉલ્લાહની માતા માટે મસ્જિદમાં પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યારે એક આત્મઘાતી બોમ્બરે વિસ્ફોટ કર્યો હતો, જેમાં 10 લોકો માર્યા ગયા હતા અને 20 લોકો ઘાયલ થયા હતા.

અલ કાયદા અને ISIS નું વિસ્તરણ
ગયા મહિને યુએસ લશ્કરી વડા જનરલ માર્ક મિલીએ પણ જણાવ્યું હતું કે, "વાસ્તવિક સંભાવના" છે કે, અલ કાયદા અને ISIS આગામી છથી 36 મહિનામાં અફઘાનિસ્તાનમાં ફરી સંગઠિત થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, જો કોઈને ISIS અને અલ કાયદાનો સૌથી મોટો ખતરો છે, તો તે ખતરો તાલિબાનને જ છે, તેથી તાલિબાન ઈચ્છે છે કે, તેઓ આ બે સંગઠનોને વિકસિત થવા ન દે. જો કે, સમસ્યા એ છે કે, તાલિબાનમાં શામેલ ઘણા લડવૈયાઓ ISIS - ખોરાસન અને અલ કાયદાના છે, તેથી તાલિબાન માટે આ બંને સંસ્થાઓને રોકવી મુશ્કેલ છે. તાલિબાન માટે બીજી મોટી સમસ્યા એ છે કે, આ બે સંગઠનોના મોટાભાગના લડવૈયાઓએ અફઘાનિસ્તાન સરકાર સામેની લડાઈમાં તાલિબાનને સમર્થન આપ્યો છે અને લડવૈયાઓ વચ્ચે મિત્રતા તેમજ સગપણ છે, તેથી તાલિબાન ઓપરેશનનું પરિણામ ખાસ સફળ નહીં થાય.
-
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ?









Click it and Unblock the Notifications
