ISIS એ કોઈ ખતરો નથી, તે એક મોટો માથાનો દુઃખાવો છે
તાલિબાનોએ 15 ઓગસ્ટના રોજ અફઘાનિસ્તાનમાં પોતાનું શાસન જાહેર કર્યું હતું, પરંતુ હવે તાલિબાનોએ કહ્યું છે કે, ISIS અફઘાનિસ્તાન માટે માથાનો દુઃખાવો છે. જો કે તાલિબાને દાવો કર્યો છે કે, ISIS ને ખૂબ જ જલ્દી દબાવવામાં આવશે.
કાબુલ : તાલિબાનોએ 15 ઓગસ્ટના રોજ અફઘાનિસ્તાનમાં પોતાનું શાસન જાહેર કર્યું હતું, પરંતુ હવે તાલિબાનોએ કહ્યું છે કે, ISIS અફઘાનિસ્તાન માટે માથાનો દુઃખાવો છે. જો કે તાલિબાને દાવો કર્યો છે કે, ISIS ને ખૂબ જ જલ્દી દબાવવામાં આવશે, પરંતુ આ દિવસોમાં અફઘાનિસ્તાનના ઘણા ભાગોમાં તાલિબાન અને ISIS વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે.

ISIS તાલિબાન માટે માથાનો દુઃખાવો છે
ટોલો ન્યૂઝ દ્વારા તાલિબાનના માહિતી અને સંસ્કૃતિ મંત્રી ઝબીઉલ્લાહ મુજાહિદને ટાંકીને કહેવામાં આવ્યું છે કે, અમે દાઈશ (ISIS) ને ખતરો નથી માનતા, પરંતુ અમે તેને માથાનો દુઃખાવો કહીએ છીએ. તાલિબાને આ સપ્તાહની શરૂઆતમાં કાબુલના ઉત્તરીય ઉપનગરમાં ISIS સામે ઓપરેશન ચલાવામાં આવ્યું હતું. જેમાં ISIS - ખોરાસન શાખાના ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા હતા. ISIS કેટલીક જગ્યાએ માથાનો દુઃખાવો કરે છે, પરંતુ દરેક ઘટના બાદ ISIS ના લોકોને મારવામાં આવી રહ્યા છે, અથવા તો તેઓ છૂપાઇ રહ્યા છે.

ISIS સામે અભિયાન
અફઘાનિસ્તાનમાં સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર તાલિબાન દ્વારા ISISને નામશેષ કરવા માટે સતત ઓપરેશન કરવામાં આવી રહ્યા છે, જેમાં બંને પક્ષોના લોકો માર્યા રહ્યા છે. આત્મઘાતી બોમ્બરે ઈદગાહ મસ્જિદમાં વિસ્ફોટ કર્યા બાદ આ કામગીરી શરૂ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, ઈદગાહ મસ્જિદમાં એક આત્મઘાતી બોમ્બરે પોતાને ઉડાવી દીધો હતો, જેમાં મસ્જિદમાં નમાજ પઢતા ઘણા નિર્દોષ લોકો માર્યા ગયા હતા. ત્યારથી તાલિબાન ISIS વિરુદ્ધ અભિયાન ચલાવી રહ્યું છે. રિપોર્ટ અનુસાર ISISના પ્રવક્તા ઝબીઉલ્લાહની માતા માટે મસ્જિદમાં પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યારે એક આત્મઘાતી બોમ્બરે વિસ્ફોટ કર્યો હતો, જેમાં 10 લોકો માર્યા ગયા હતા અને 20 લોકો ઘાયલ થયા હતા.

અલ કાયદા અને ISIS નું વિસ્તરણ
ગયા મહિને યુએસ લશ્કરી વડા જનરલ માર્ક મિલીએ પણ જણાવ્યું હતું કે, "વાસ્તવિક સંભાવના" છે કે, અલ કાયદા અને ISIS આગામી છથી 36 મહિનામાં અફઘાનિસ્તાનમાં ફરી સંગઠિત થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, જો કોઈને ISIS અને અલ કાયદાનો સૌથી મોટો ખતરો છે, તો તે ખતરો તાલિબાનને જ છે, તેથી તાલિબાન ઈચ્છે છે કે, તેઓ આ બે સંગઠનોને વિકસિત થવા ન દે. જો કે, સમસ્યા એ છે કે, તાલિબાનમાં શામેલ ઘણા લડવૈયાઓ ISIS - ખોરાસન અને અલ કાયદાના છે, તેથી તાલિબાન માટે આ બંને સંસ્થાઓને રોકવી મુશ્કેલ છે. તાલિબાન માટે બીજી મોટી સમસ્યા એ છે કે, આ બે સંગઠનોના મોટાભાગના લડવૈયાઓએ અફઘાનિસ્તાન સરકાર સામેની લડાઈમાં તાલિબાનને સમર્થન આપ્યો છે અને લડવૈયાઓ વચ્ચે મિત્રતા તેમજ સગપણ છે, તેથી તાલિબાન ઓપરેશનનું પરિણામ ખાસ સફળ નહીં થાય.
-
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં સરકારે વહીવટદારની નિમણૂક કરી -
ગુજરાતના 17 જિલ્લાઓમાં ગરમી પરસેવો પડાવશે, હવામાન વિભાગની મોટી આગાહી -
કિસાન સન્માન નિધિનો 22મોં હપ્તો ક્યારે આવશે? આવી ગઈ તારીખ -
ગરમીને લઈને હવામાન વિભાગની નવી આગાહી, આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ -
LPG અછતને લઈને ભારત સરકાર એક્શનમાં, જાણો શું કહ્યું? -
અમદાવાદમાં આકાર લેશે ભવ્ય 'સ્પોર્ટ્સ એન્ક્લેવ', ઓલિમ્પિક સ્તરની સુવિધાઓ માટે સરકારે ખોલી તિજોરી -
Gold Silver Rate Today: ઈરાન યુદ્ધની અસર! ચાંદી ₹13,000 મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો શું છે લેટેસ્ટ ભાવ







Click it and Unblock the Notifications
