કતારપુર કોરીડોર: ગુરૂદ્વારામાં દર્શન કરવા જવા માટેની આ છે પ્રક્રીયા, જાણો વિગતો
ભારત અને પાકિસ્તાન વચ્ચે કરતારપુર કોરિડોર પર 24 ઓક્ટોમ્બરે કરાર થયો છે. પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને જાહેરાત કરી છે કે કરતારપુર કોરિડોર 9 નવેમ્બરે ઔપચારીક રીતે ભક્તો માટે ખોલવામાં આવશે.
ભારત અને પાકિસ્તાન વચ્ચે કરતારપુર કોરિડોર પર 24 ઓક્ટોમ્બરે કરાર થયો છે. પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને જાહેરાત કરી છે કે કરતારપુર કોરિડોર 9 નવેમ્બરે ઔપચારીક રીતે ભક્તો માટે ખોલવામાં આવશે. જો તમારે આ ગુરુદ્વારાની મુલાકાત લેવી હોય તો તમે ગૃહ મંત્રાલયની વેબસાઇટ પર નોંધણી કરાવી શકો છો.

રજિસ્ટ્રેશન માટે પોર્ટલ શરૂ કરાયુ
ભારત અને પાકિસ્તાન વચ્ચેના કરાર પર હસ્તાક્ષર સાથે નોંધણી રજિસ્ટે્રેશન પણ શરૂ થઈ ગયુ છે. ભક્તો માટે રજિસ્ટ્રેશન સુવિધા ગૃહ મંત્રાલય તરફથી ઓનલાઇન શરૂ થઈ ગઇ છે. ભક્તો prakashpurb550.mha.gov.in પર જઈને નોંધણી કરાવી શકશે. મંત્રાલયના ત્રણ દિવસ પહેલા એસએમએસ અથવા ઇમેઇલ દ્વારા ભક્તોને માહિતી આપવામાં આવશે. કરતારપુર કોરિડોર ખુલ્યા પછી, ભારતીય યાત્રાળુઓને ગુરુનાનક દેવે જ્યાં તેમના જીવનની અંતિમ ક્ષણો વિતાવી હતી તે ગુરૂદ્વારામાં જવાની મંજૂરી આપવામાં આવશે. આ કરાર પર સરહદ પર ઝીરો લાઇન પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.
શું છે દર્શનની પુરી પ્રક્રીયા
- આ કોરિડોરનો ઉપયોગ તમામ ધર્મો અને ભારતીય મૂળના લોકો કરી શકશે.
- મુસાફરી વિઝા મફત રહેશે અને યાત્રાળુઓ પાસે માન્ય પાસપોર્ટ હોવો જરૂરી છે.
- સવારથી સાંજ સુધી કોરિડોર ખુલ્લો રહેશે. સવારે જતા યાત્રાળુઓને તે જ દિવસે પરત ફરવું પડશે.
- કોરિડોર સૂચિત દિવસો સિવાય આખું વર્ષ ખુલ્લો રહેશે.
- દર્શન કરવા જનારા ભક્તોની યાદી 10 દિવસ પહેલા ભારતથી પાકિસ્તાન મોકલવામાં આવશે.
- આ પછી, મુસાફરને તેની મુસાફરીની તારીખના ચાર દિવસ પહેલાં જાણ કરવામાં આવશે.
આ પણ વાંચો: કતારપુર કોરિડોર: ભારત-પાકિસ્તાન બોર્ડર પર હશે ઝીરો લાઇન
-
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત?







Click it and Unblock the Notifications
