Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ક્વીન એલિઝાબેથના રાજમુકુટમાં જડ્યો છે કોહિનૂરનો હીરો, કિંમત જાણીને હોશ ઉડી જશે

કોહિનૂરનો તાજ બ્રિટિશ રાણીના શિરનો તાજ હતો. આ તાજ ખૂબ જ વિશેષ અને મૂલ્યવાન છે. આવો અમે તમને આ તાજ વિશે વિગતવાર જણાવીએ.

નવી દિલ્લીઃ બ્રિટનના મહારાણી એલિઝાબેથ દ્વિતીયનુ 96 વર્ષની વયે અવસાન થયુ છે. તેમણે સ્કૉટલેન્ડના બાલમોરલ કેસલમાં અંતિમ શ્વાસ લીધા. તેમની વિદાય પછી તેમનો વારસો તેમના મોટા પુત્ર કિંગ પ્રિન્સ ચાર્લ્સ અને તેમના પત્ની કેમિલા પાર્કર દ્વારા ચલાવવામાં આવશે. વળી, રાણી એલિઝાબેથનો તાજ પણ કેમિલા પાર્કરના શિરે શણગારાશે. તમને જણાવી દઈએ કે આ તાજ બ્રિટિશ રાણીના શિરનો તાજ હતો. આ તાજ ખૂબ જ વિશેષ અને મૂલ્યવાન છે. આવો અમે તમને આ તાજ વિશે વિગતવાર જણાવીએ.

મહારાણીના મુકુટની શોભ રહ્યો છે રાજમુકુટ

મહારાણીના મુકુટની શોભ રહ્યો છે રાજમુકુટ

તમને જણાવી દઈએ કે મહારાણી એલિઝાબેથના ગયા પછી તેમના વહુ કેમિલાને તેમનો કોહિનૂર હીરા જડિત તાજ મળશે. આ તાજ પોતે ખૂબ જ વિશિષ્ટ અને મૂલ્યવાન છે. રાણીનો આ તાજ હંમેશા આકર્ષણનુ કેન્દ્ર રહ્યો છે. તેઓ હંમેશા આ તાજ સાથે જોવા મળતા હતા. આ તાજથી જ એલિઝાબેથ II ની સુંદરતામાં વધારો થયો. જૂન 1953માં એલિઝાબેથને તેમના રાજ્યાભિષેક વખતે આ તાજ આપવામાં આવ્યો હતો અને ત્યારથી તે તેમના શિરે સજે છે.

ભારતમાં જોવા મળ્યો હતો આ હીરો

ભારતમાં જોવા મળ્યો હતો આ હીરો

તમને જણાવી દઈએ કે રાણીનો આ તાજ કોહિનૂર હીરાથી જડાયેલો છે. તાજમાં 105.6-કેરેટ હીરાનો સમાવેશ થાય છે, જે સેંકડો વર્ષો પહેલા કાઢવામાં આવ્યો હતો. આ હીરો ભારતમાં 14મી સદીમાં જોવા મળ્યો હતો અને સમય જતાં આ હીરા અલગ-અલગ જગ્યાએ પહોંચ્યો હતો. 1849માં બ્રિટિશ શાસન દરમિયાન આ હીરા રાણી વિક્ટોરિયાને સોંપવામાં આવ્યો હતો અને ત્યારથી કોહિનૂર હીરો રાણી એલિઝાબેથના મસ્તક પર શોભે છે.

કેટલી છે રાજમુકુટની કિંમત

કેટલી છે રાજમુકુટની કિંમત

તમે સમજી જ ગયા હશો કે આ તાજ મૂલ્યવાન છે પરંતુ તેમ છતાં લોકો તેની કિંમત જાણવા માટે હંમેશા ઉત્સુક હોય છે. તમને જણાવી દઈએ કે આ તાજની કિંમત હંમેશાથી અંદાજવામાં આવી છે કારણ કે તેની કિંમતનો અંદાજ તેમાં જડેલા રત્નો અને આભૂષણોની માત્રાથી જ લગાવી શકાય છે. કહેવાય છે કે રાણીના આ તાજની કિંમત લગભગ 3600 કરોડ રૂપિયા છે. વળી, સમગ્ર સેટની કિંમત 4500 કરોડ હોવાનુ કહેવાય છે.

કોહિનૂર ઉપરાંત કયા-કયા હીરા છે?

કોહિનૂર ઉપરાંત કયા-કયા હીરા છે?

તમને જણાવી દઈએ કે બ્રિટનના રૉયલ ક્રાઉનમાં ચાંદીના માઉન્ટ્સમાં હીરા જડ્યા છે અને મોટાપાયે ટેબલ, ગુલાબ અને ભવ્ય કટ છે. સોનાના માઉન્ટમાં જડાયેલા રંગબેરંગી રત્નોમાં નીલમણિ, પન્ના અને મોતીનો સમાવેશ થાય છે. લગભગ 1.28 કિગ્રા વજન ધરાવતા આ તાજમાં ઘણા જૂના અને કિંમતી રત્નો જડેલા છે. આમાં નીલમથી માંડીને એડવર્ડ ધ બ્લેક પ્રિન્સના માણેક, એલિઝાબેથ Iના મોતી અને કુલીનન IIના હીરાનો પણ સમાવેશ થાય છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X