પ્રેમ દિવાનાને મળી કંઇક આવી સજા, 300 લોકોએ કર્યો પથ્થરમારો
મીડિયાના અહેવાલઓ અનુસાર સરકારી કર્મચારી નૂરદુદ્દીન પર 300 લોકોથી વધારે લોકોએ ત્યાંસુધી પથ્થર ફેંક્યા જ્યાં સુધી તેણે દમ તોડ્યો નહીં. એક્સપ્રેસ ટ્રિબ્યુને જણાવ્યા પ્રમાણે આ ઘટના મંગળવારે કુર્રમ એજન્સીના મુખ્યાલય પારાચિનારમાં એક કબરગાહ નજીક ઘટી. નામ નહીં જણાવવાની શરતે રાજનીતિક પ્રશાસનના અધિકારી અને ત્રણ કબાઇલીએ આ ઘટનાની પૃષ્ટિ કરી.
પંજાબના મિયાંવાલી જિલ્લામાં રહેતા નૂરુદ્દીનના પારાચિનારમાં કામ કરતા એક સ્થાનિક યુવતી સાથે પ્રેમ થઇ ગયો. બાદમાં તેની બદલી પાકિસ્તાન અધિકૃત કાશ્મિરમાં થઇ ગઇ પરંતુ તેમનો સંબંધ યથાવત રહ્યો. સોમવારે સાંજે નૂરુદ્દીન પારાચિનાર યુવતીને ભગાડી જવા માટે આવ્યો પરંતુ યુવતીના પરિવારજનોએ તેને પકડીને એક રૂમમાં બંધ કરી દીધો. તેની કિસ્મત પર નિર્ણય કરવા માટે જિરગાની બેઠક બોલાવવામાં આવી.
સૂત્રો સમાચારોને જણાવ્યું કે જિરગાએ કબાઇલી સંહિતા નૂરુદ્દીન અને યુવતી બન્નેને મોતની સજા સંભળાવવામાં આવી. સમાચારમાં જણાવવામાં આવ્યું છે કે યુવતી અંગે કંઇ જાણવા મળ્યું નથી.