18 કરોડમાં વેચાયો પટિયાલાના મહારાજાનો ડિનર સેટ
લંડન, 6 જુલાઇ : પટિયાલાના પૂર્વ મહારાજાએ બનાવડાવેલો ચાંદીનો ડિનર સેટ ત્રણ મિલિયન ડોલર એટેલે કે અંદાજે 18 કરોડ રૂપિયામાં નીલામ થયો છે. લંડનના જાણીતા ઓક્સન હાઉસ ક્રિસ્ટીસ દ્વારા આ ડિનર સેટની હરાજી યોજવામાં આવી હતી. આ હરાજીમાં એક અજાણ્યા સંગ્રહ કર્તાએ આ ડિનર સેટ ખરીદ્યો હતો. પટિયાલા મહારાજાઓ બનાવડાવેલા ડિનર સેટમાં ચાંદીના 1400 વાસણો છે. જેનું કુલ વજન 500 કિલોગ્રામ થાય છે.
1
પટિયાલાના મહારાજા ભૂપિન્દર સિંહ
2
પટિયાલાના પૂર્વ મહારાજાએ બનાવડાવેલો ચાંદીનો ડિનર સેટ
3
આ ચાંદીનો ડિનર સેટ ત્રણ મિલિયન ડોલર એટેલે કે અંદાજે 18 કરોડ રૂપિયામાં નીલામ થયો
4
હરાજીમાં એક અજાણ્યા સંગ્રહકર્તાએ આ ડિનર સેટ ખરીદ્યો
5
પટિયાલા મહારાજાઓ બનાવડાવેલા ડિનર સેટમાં ચાંદીના 1400 વાસણો છે. જેનું કુલ વજન 500 કિલોગ્રામ થાય છે
6
પટિયાલાના ભૂતપૂર્વ મહારાજા ભૂપિંદર સિંહે વર્ષ 1922માં આ સેટ બનાવડાવ્યો હતો
7
મહારાજાએ આ સેટ તત્કાલિન પ્રિન્સ ઓફ વેલ્સની પટિયાલા મુલાકાત સમયે ખાસ બનાવડાવ્યો હતો. આ પ્રિન્સ વેલ્સ જ બાદમાં કિંગ એડવર્ડ આઠમા બન્યા હતા.
8
આ ડિનર સેટના દરેક વાસણ પર લાજવાબ કારીગરી કરવામાં આવી છે
9
કશીદાર કિનારીઓવાળા આ વાસણો પર પ્રાણીઓ અને વેલ પાંદડાની ઉત્તમ ચિત્રકારી કરવામાં આવી છે.
10
તેના પર રાજ ચિહ્ન, રાજ મુકુટ અને કૂળનું નામ પણ કોતરવામાં આવ્યા છે
11
વાસણોનો આ સેટ મહારાજાની બહુરંગી અને આલિશાન જીવનશૈલીની એક ઝલક આપે છે. પટિયાલાના આ મહારાજા ભારતના એવા પ્રથમ મહારાજા હતા જેમની પાસે વિમાન હતું.
12
આ મહારાજા કાર્સના પણ શોખીન હતા અને તેમના કાફિલામાં 20 રોલ્સ સૉયસ કાર્સ હતી. તેઓ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન પણ રહી ચૂક્યા હતા.
પટિયાલાના ભૂતપૂર્વ મહારાજા ભૂપિંદર સિંહે વર્ષ 1922માં આ સેટ તત્કાલિન પ્રિન્સ ઓફ વેલ્સની પટિયાલા મુલાકાત સમયે બનાવડાવ્યો હતો. આ પ્રિન્સ વેલ્સ જ બાદમાં કિંગ એડવર્ડ આઠમા બન્યા હતા.
ક્રિસ્ટીએ જણાવ્યું કે આ ડિનર સેટને ક્રિસ્ટીની વિશેષ હરાજી અંતર્ગત વેચવામાં આવ્યો છે. આ ડિનર સેટના દરેક વાસણ પર લાજવાબ કારીગરી કરવામાં આવી છે. ઓક્શન હાઉસનું કહેવું છે કે "નકશીદાર કિનારીઓવાળા આ વાસણો પર પ્રાણીઓ અને વેલ પાંદડાની ઉત્તમ ચિત્રકારી કરવામાં આવી છે. તેના પર રાજ ચિહ્ન, રાજ મુકુટ અને કૂળનું નામ પણ કોતરવામાં આવ્યું છે."
વાસણોનો આ સેટ મહારાજાની બહુરંગી અને આલિશાન જીવનશૈલીની એક ઝલક આપે છે. પટિયાલાના આ મહારાજા ભારતના એવા પ્રથમ મહારાજા હતા જેમની પાસે વિમાન હતું. આ મહારાજા કાર્સના પણ શોખીન હતા અને તેમના કાફિલામાં 20 રોલ્સ સૉયસ કાર્સ હતી. તેઓ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન પણ રહી ચૂક્યા હતા.