સદીઓ જૂના પેરિસિયન લેન્ડમાર્ક નોટ્રે ડેમ કેથેડ્રલમાં લાગી ભીષણ આગ
સદીઓ જૂના પેરિસિયન લેન્ડમાર્ક નોટ્રે ડેમ કેથેડ્રલમાં લાગી ભીષણ આગ
પેરિસઃ સોમવારે પેરિસ અને ફ્રાન્સને ભારે નુકસાન થયું છે. વર્ષો જૂના પેરિસિયન લેન્ડમાર્ક નોટ્રે ડેમ કેથેડ્રલમાં વિનાષક ભીષણ આગ લાગી. વહેલી સાંજે ફાટી નીકળેલ આગ જોતજોતામાં છત સુધી પહોંચી ગઈ હતી જેને પગલે પેરિસનું વર્ષો જૂનું લેન્ડમાર્ક જમીનદોસ્ત થઈ ગયું. પેરિસિયન માટે આ દુઃખદ સમય છે.
ભીષણ આગ લાગવાના કારણે ધુમાડો શહેરભરમાં ફેલાઈ, આગ એટલી વિશાળ હતી કે તેનો ધુમાડો શહેરના મોટાભાગના વિસ્તારો સુધી પહોંચ્યો હતો. આ જોઈ પેરિસિયન લોકોના મોઢામાંથી એક શબ્દ પણ નહોતી નીકળી શક્યો. પ્રેસિડેન્ટ ઈમેન્યુઅલ મેક્રોને ટ્વીટ કરીને કહ્યું કે, "અમારા બધા દેશબંધુઓની જેમ જ આ વિનાશકારી આગ જોઈ આજે સાંજે હું પણ બહુ દુઃખી થયો છું"
નરી આંખે જોનાર જાસેક પોલટોરકે કહ્યું કે છત ધરાશાયી થઈ ગઈ છે. બિલ્ડિંગ માટે કોઈ ઉમ્મીદ દેખાતી નથી. તેમણે કહ્યું કે બે બ્લોક દૂર પાંચ ફ્લોરની બાલ્કની પરથી પણ આ આગ નરી આંખે જોઈ શકાય તેવી ભયંકર હતી. જણાવી દઈએ કે કેથેડ્રોલ ફ્રાન્સનું સૌથી પ્રખ્યાત સ્થળ હતું. નોટ્રે ડેમ પરની આગને કાબૂમાં લેવા માટે ફાયર ફાઈટર્સે ભારે જહેમત કરી અને આજુબાજુના વિસ્તારને ખાલી કરાવ્યો, જે સૈની નદીમાં આવેલ આઈલેન્ડ પર છે અને તે પેરિસની એકદમ મધ્યમાં આવેલ છે.
જૂનિયર ઈન્ટિરિયર મિનિસ્ટર લૌરેન નુનેઝે ઘટના સ્થળેથી કહ્યું કે કોઈ ઘાયલ નથી થયું, વધુમાં ઉમેરતાં તેમણે કહ્યું કે, "આગનું કારણ શું હશે તે અંદાજ લગાવવો અત્યાર ઉતાવળા પગલાં સમાન હશે." ફ્રાન્સની 2 ટીવી ચેનલ મુજબ પોલીસે આ ઘટનાને અકસ્માતે લાગેલી આગ ગણાવી છે. ઘટના સ્થળે હાજર પોલીસ અધિકારીએ કહ્યું કે બધું જ જમીનદોસ્ત થઈ રહ્યું છે. કેથેડ્રલની આખી છત બળીને ખાખ થવા લાગી છે.
પ્રેસિડેન્ટ મેક્રોન સોમવારે સાંજે ફ્રાન્સને સંબોધવાના હતા પણ અંતે તેમણે પોતાનો આ કાર્યક્રમ રદ કર્યો. પ્રેસિડેન્સિયલ ઑફિસે કહ્યું કે મેક્રોન ઘટના સ્થળે જવાના હતા તેથી દેશને સંબોધવાનો કાર્યક્રમ રદ કરવામાં આવ્યો. જણાવી દઈએ કે કેથેડ્રલ 12મી સદીમાં બનેલ ફ્રાન્સનું એક સ્થળ છે જેને વિક્ટર હ્યુગોની ક્લાસિક નોવેલ "ધી હંચબેક ઑફ નોટ્રે ડેમ"માં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. નેટ્રો-ડેમને યૂનેસ્કોએ વર્લ્ડ હેરિટેજ સાઈટ જાહેર કરી હતી, જે દર વર્ષે કરોડો પ્રવાસીઓને આકર્ષતું હતું.
આ પણ વાંચો- ભારત માટે ચોંકાવનારા અહેવાલ, પાકિસ્તાની પાયલોટને અપાઈ રહી છે રાફેલ ઉડાવવાની ટ્રેનિંગ?
પેરિસના મેટર એનને હિડાલ્ગોએ પત્રકારોને જણાવ્યું કે આ ખરેખર મોટી ટ્રેઝેડી છે. નોટ્રે-ડેમની અંદર ઘણાં આર્ટવર્ક્સ હતાં. કેથેડ્રલ નવીનીકરણની મધ્યમાં હતું, કામો માટે છેલ્લા અઠવાડિયામાં સ્કેફોલ્ડિંગ અને કાંસ્ય મૂર્તિઓ હેઠળ કેટલાક વિભાગો દૂર કરવામાં આવ્યા હતા.