પાકમાં તોડાયું સો વર્ષ જૂનુ મંદિર, હિન્દુઓની ભારત જવાની માંગણી

એક પાકિસ્તાની સમાચારપત્ર અનુસાર કરાચીના સોલ્જિયર બજારમાં વિભાજન પહેલાના શ્રી રામ પીર મંદિરનો ધ્વંશ કરવા ઉપરાંત મકાન તોડી પાડ્યા, જેના કારણે 40 લોકો બેઘર થયાં, જેમાં મોટાભાગના હિન્દુઓ છે.
આ ધ્વંશ બાદ પાકિસ્તાન હિન્દુ કાઉન્સિલે રવિવારે બપોરે કરાચીમાં પ્રેસ ક્લબ બહાર વિરોધ પ્રદર્શન કર્યા, તેમણે બિલ્ડર દ્વારા મંદિર અને મકાનોને તોડી પાડવા તથા પ્રશાસન તરફથી કોઇપણ પ્રકારની કાર્યવાહી નહીં કરવામાં આવતા વિરોધ કર્યો છે.
નોંધનીય છે કે આ મંદિર એ સમયે પાડવામાં આવ્યું છે, જ્યારે સિંઘ હાઇકોર્ટ શ્રી રામ પીર મંદિરને તોડી પાડવા પર રોક લગાવવાની માંગ કરતી અરજી પર સુનાવણી કરી રહી છે. આ મુદ્દે હિન્દુઓની આકરી પ્રતિક્રિયા જોવા મળી છે. પ્રકાશ નામના એક નારાજ વ્યક્તિએ કહ્યું કે, તેમણે અમારા મંદિર તોડીને અમારા દેવી-દેવતાઓનું અપમાન કર્યું છે.
પાક હિન્દુઓએ જણાવ્યું કે આ કાર્યવાહી દરમિયાન આખા વિસ્તારને પોલીસ અને અર્ધસૈનિક પાકિસ્તાન રેન્જર્સએ ઘેરી લીધા હતા. કોઇપણ બહારની વ્યક્તિને વિસ્તારમાં નહોતું જવા દેવામાં આવ્યું. જે 40 લોકોના મકાન તોડી પાડવામાં આવ્યા તેમાં શ્વેતા નામની એક મહિલા પણ છે, જેના પતિ કરાચીની બહાર છે, શ્વેતાએ કહ્યું કે તેમણે અને તેમના બાળકોએ ખુલ્લામાં આખી રાત પસાર કરી. મંદિર અને મકાની તોડી પડાતા નારાજ હિન્દુઓએ માંગણી કરી છે કે સરકાર તેમના માટે ભારત જવાની ટિકિટની વ્યવસ્થા કરે. એક મહિલાએ કહ્યું કે જો તમને અમારી જરૂરના હોય તો અમે ભારત જઇશું.
જો કે, પોલીસ અધિકારીઓએ ત્યાં મંદિર હોવાની વાતને ખારીજ કરી દીધી છે. તેમણે કહ્યું કે, તેમન અતિક્રમણ હટાવવાનો આદેશ હતો. પોલીસ ઉપાધીક્ષક પરવેજ ઇક્બાલ કહ્યું કે, ત્યાં કોઇ મંદિર નહોતું, ત્યાં મકાનોમાં કેટલાક હિન્દુ દેવી-દેવતાઓની પ્રતિમાઓ હતી પરંતુ અમને સુનિશ્ચિત કરવામાં આવ્યું હતું કે તે સુરક્ષિત છે. તેમણે કહ્યું કે, લોકોને ઘરમાંથી સામાન લઇ જવા માટે પુરતો સમય આપવામાં આવ્યો હતો. અમે કોઇને ઇજાગ્રસ્ત કર્યા નથી. ઉલ્ટું તેમણે અમારા પર પથ્થરમારો કર્યો જેમાં, અમારા કર્મી હુસૈન શાહ ઘાયલ થયા.
-
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Samay Raina Caste: સ્ટેન્ડ-અપ કૉમેડિયન સમય રૈનાના જાતિ-ધર્મ શું છે? ખુદને 'મૃતદેહ' જેવો કેમ કહ્યો? -
લોકસભા સીટ 850 કરવાનો પ્લાનઃ પરિસીમન શું છે? North Vs South વિવાદ વકર્યો, વિપક્ષ કેમ વિરોધ કરે છે- Explain -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
Putin India Visit: એક વર્ષમાં બીજીવાર ભારત આવી રહ્યા છે પુતિન, પશ્ચિમી દેશોની ઉંઘ ઉડી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી



Click it and Unblock the Notifications
