ઇસ્લામાબાદ, 3 મે: મુંબઇ હુમલા અને બેનજીર ભુટ્ટો હત્યાકાંડ કેસને જોઇ રહેલા પાકિસ્તાની ફરિયાદી અભિયોજક ચૌધરી જુલ્ફિરકારની ઇસ્લામાબાદમાં ગોળીમારી હત્યા કરવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર જ્યારે તે સવારે મોનિંગ વૉક કરવા નિકળ્યા હતા ત્યારે અજાણ્યા હુમલાખોરોએ તેમને ગોળી મારી હત્યા કરી દેવામાં આવી છે.
પાકિસ્તાનના જિઓ ટીવીના જણાવ્યા અનુસાર બાઇક પર કેટલાક અજ્ઞાત હુમલાવરો તેમની પર ગોળીબાર કરી ફરાર થઇ ગયા હતા. ગંભીર રીતે ઘાયલ થયા બાદ તેમને હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યા હતા પરંતુ તેમને બચાવી શકાયા નથી. જુલ્ફીકારને શુક્રવારે બેનજીર ભુટ્ટો હત્યાકાંડ કેસમાં રાવલપિંડી સ્થિતી આતંક વિરોધી કોર્ટ રજૂ થવાના હતા.
Chaudhary Zulfiqar, the Pakistani prosecutor handling 26/11 Mumbai attack case and the Benazir Bhutto assassination case, was on Friday shot dead in Islamabad.