પાકિસ્તાન ઉપર આવ્યું વધુ એક સંકટ, વિધાનસભામાં માંગી દુવા
જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદ પાકિસ્તાન બોખલાયું છે, એક બાજુ પાકિસ્તાન ભારત પર પરમાણુ હુમલાની ધમકી આપી રહ્યું છે, તો બીજી તરફ પાકિસ્તાન પોતાના જ દેશમાં માખીઓના આતંકથી પરેશાન છે.
જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદ પાકિસ્તાન બોખલાયું છે, એક બાજુ પાકિસ્તાન ભારત પર પરમાણુ હુમલાની ધમકી આપી રહ્યું છે, તો બીજી તરફ પાકિસ્તાન પોતાના જ દેશમાં માખીઓના આતંકથી પરેશાન છે. પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં માખીઓના આતંકને કારણે એવી પરિસ્થિતિઓ આવી ગઈ છે કે, આ મામલો માત્ર વિધાનસભામાં જ ઉઠાવવો પડ્યો ન હતો, પરંતુ આ માખીઓથી મુક્તિ માટે વિશેષ દુવા કરાવવામાં આવી હતી.

રાજ્યમાં દરેક જગ્યાએ માખીઓએ જીવવાનું મુશ્કેલ કરી દીધું છે
પાકિસ્તાનના સ્થાનિક અખબાર 'જંગ' ના અહેવાલ મુજબ ધારાસભ્ય નુસરત સહાર અબ્બાસીએ કહ્યું હતું કે, સરકાર દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે કે વરસાદ પડે ત્યારે પાણી આવે છે, તે જ રીતે નિવેદન આપવું જોઈએ કે જયારે વરસાદ આવે ત્યારે માખીઓ પણ આવે છે. કરાચીથી કાશ્મીર સુધી, રાજ્યમાં દરેક જગ્યાએ માખીઓએ જીવવાનું મુશ્કેલ કરી દીધું છે. વિધાનસભા અધ્યક્ષને તેમની નાબૂદી માટે દુવા કરાવી.

પ્રાણીઓના બલિદાન પછી હાલાત વધુ ખરાબ થયા
અહેવાલ મુજબ, એક અન્ય ધારાસભ્ય, રાણા અનસારએ કરાચીમાં માખીઓના આતંકની ફરિયાદ કરી છે અને તેને દૂર કરવા માટે ખાસ દુવા કરવાની વિનંતી કરી હતી. પરંતુ, ધારાસભ્ય ખુરમ શેર ઝમાને કહ્યું કે ઈદ ઉલ અઝહામાં પ્રાણીઓના બલિદાન અને વરસાદ બાદ કરાંચીની સ્થિતિ કથળી છે. રોગો વધી ગયા છે. મુખ્ય પ્રધાનને કહો કે તેઓ તેનું સમાધાન કરવા માટે કયા પગલા લઈ રહ્યા છે.

રાજ્યમાં ફોગિંગ શરૂ કરી દીધી
સરકાર દ્વારા કહેવામાં આવ્યું હતું કે રાજ્યમાં ફોગિંગ શરૂ કરવામાં આવી છે. આપને જણાવી દઈએ કે, પાકિસ્તાનના રેલ્વે મંત્રી શેખ રશીદે એક કટાક્ષ નોંધ આપી હતી કે જો પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (પીઓકે) પર હુમલો થાય તો યુદ્ધ જાહેર કરવામાં આવશે. રાશિદે કહ્યું, 'કાશ્મીરમાં આવીને તમેં એ ન સમજો કે ભારતનો એજન્ડા પૂર્ણ થયો છે, તે પીઓકે પર હુમલો કરી શકે છે. પીઓકે પર હુમલો એલાન એ જંગ હશે.
આ પણ વાંચો: પાકિસ્તાન ગમે તેટલાં ષડયંત્ર રચી લે, કાશ્મીર અમારું હતું, છે અને હંમેશા રહેશેઃ કોંગ્રેસ












Click it and Unblock the Notifications
