પાકિસ્તાને ભારતની ચિંતા વધારી : હાફિઝ સઇદને આપ્યા નાણા

salman-khurshid
બગદાદ, 20 જૂન : પાકિસ્તાનના પંજાબ પ્રાંતની સરકાર દ્વારા મુંબઇ હુમલાઓના માસ્ટર માઇન્ડ આતંકવાદી હાફિઝ સઇદના નેતૃત્વવાળા જમાત ઉદ દાવાને લાખો રૂપિયા ફાળવ્યા છે. આ કારણે ભારતની ચિંતા વધી ગઇ છે. આ મુદ્દે ભારતે જણાવ્યું છે કે નવી દિલ્હી આ બાબતને ઇસ્લામાબાદ સમક્ષ ઉઠાવતા પહેલા સાવધાનીપૂર્વક તેની તપાસ કરશે.

આ મુદ્દે વિદેશ મંત્રી સલમાન ખુર્શીદે જણાવ્યું છે કે "મેં પાકિસ્તાનની પંજાબ સરકારની બજેટ જોગવાઇઓને જોઇ છે. જે મરકજ માટે બનાવવામાં આવી છે. આ માત્ર બજેટ છે જે રજૂ કરવામાં આવ્યું છે. આપણી પાસે પૂરતો સમય છે અને તેને સાવધાનીપૂર્વક જોવામાં આવશે."

બે દિવસની ઇરાક યાત્રા પર પહોંચેલા સલમાન ખુર્શીદે જણાવ્યું કે સંબંધિત એજન્સીઓની સલાહને અનુરૂપ તેનું વિશ્વેષણ કર્યા બાદ સમગ્ર મુદ્દાને પાકિસ્તાન સમક્ષ ઉઠાવવામાં આવશે. મને આશા છે કે પાકિસ્તાન આપણી ચિંતાઓનો જવાબ આપશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X