For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પાક પીએમઃ ‘દોસ્તીના પ્રસ્તાવને અમારી કમજોરી સમજવાની ભૂલ ન કરે ભારત'

પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને કહ્યુ છે કે તેમના તરફથી ભારત તરફ જે દોસ્તીનો હાથ આગળ વધારવામાં આવ્યો હતો તેને તેમની કમજોરી સમજવામાં ન આવે.

|
Google Oneindia Gujarati News

પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને કહ્યુ છે કે તેમના તરફથી ભારત તરફ જે દોસ્તીનો હાથ આગળ વધારવામાં આવ્યો હતો તેને તેમની કમજોરી સમજવામાં ન આવે. ભારતે પાકિસ્તાન સાથે ન્યૂયોર્કમાં યોજાનાર વિદેશ મંત્રી સ્તરની વાતચીત રદ કરી દીધી. ત્યારબાદ ઈમરાને ભારત પર આકરી ટીકા કરતા આને એક એવો નિર્ણય ગણાવ્યો જે 'ઘમંડથી ભરેલ હતો અને ટૂંકી દ્રષ્ટિના લોકો તરફથી લેવામાં આવ્યો હતો.' ગયા ગુરુવારે ઈમરાન ખાનનો પીએમ મોદીને લખેલો એ પત્ર સામે આવ્યો હતો જેમાં તેમણે અટકેલી વાતચીત શાંતિ મંત્રણા ફરીથી શરૂ કરવાની અપીલ કરી હતી. પરંતુ ભારતે જમ્મુ કાશ્મીરની વર્તમાન સ્થિતિ માટે પાકને જવાબદાર ગણાવીને વાતચીત રદ કરી દીધી હતી.

કોઈની આગળ ઝૂકીશુ નહિ

કોઈની આગળ ઝૂકીશુ નહિ

ઈમરાને પંજાબથી આવેલા બ્યુરોક્રેટ્સ સાથે વાત કરતા કહ્યુ, ‘મને આશા છે કે ભારતનું નેતૃત્વ પોતાનું ઘમંડ છોડશે અને પાકિસ્તાન સાથે વાતચીત માટે તૈયાર થશે.' તેમણે આગળ કહ્યુ કે ‘અમારા તરફથી દોસ્તીની રજૂઆતને અમારી કમજોરી સમજવામાં ન આવે. ભારત અને પાકિસ્તાન વચ્ચે દોસ્તી ગરીબી હટાવવામાં મદદ કરશે.' તેમણે કહ્યુ કે પાકિસ્તાને ડરવુ ન જોઈએ કારણકે તે કોઈ પણ પ્રકારનું દબાણ સહન નહિ કરે અને ના તો કોઈ વર્લ્ડ પાવર આગળ ઝૂકશે. ખાનનું આ નિવેદન ત્યારે આવ્યુ જ્યારે વિપક્ષે તેમને શાંતિ મંત્રણા માટે ઘણા વધુ વ્યાકુળ હોવા માટે દોષિત ગણાવ્યા.

આ પણ વાંચોઃ ઓસ્ટ્રેલિયાના એરપોર્ટ પર રંગભેદનો શિકાર બની શિલ્પા શેટ્ટી, લગાવ્યા આરોપઆ પણ વાંચોઃ ઓસ્ટ્રેલિયાના એરપોર્ટ પર રંગભેદનો શિકાર બની શિલ્પા શેટ્ટી, લગાવ્યા આરોપ

સેનાએ આપી ભારતને જવાબ આપવાની ધમકી

સેનાએ આપી ભારતને જવાબ આપવાની ધમકી

પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (પીપીપી) ના ઉપાધ્યક્ષ શેરી રહેમાનની માનીએ તો સરકારે ભારત સામે વાતચીતનો પ્રસ્તાવ મૂકતા પહેલા પોતાનું હોમવર્ક કરી લેવુ જોઈએ. વળી, શનિવારે ઈન્ટર-સર્વિસીઝ પબ્લિક રિલેશન્સ (આઈએસપીઆર) ના ડાયરેક્ટર જનરલ મેજર જનરલ આસિફ ગફૂરે કહ્યુ છે કે પાકિસ્તાન પરમાણુ તાકાત ધરાવનાર દેશ છે અને શાંતિ માટેની તેની ઈચ્છાને તેની કમજોરી સમજવાની ભૂલ બિલકુલ ન કરવામાં આવે. જો કોઈ પાકિસ્તાનની ધીરજને પરખવાની કોશિશ કરશે તો તેને જવાબ આપવામાં આવશે. વળી, પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરેશીએ કહ્યુ છે કે મુદ્દાઓથી ભાગવાથી તે ગાયબ નહિ થઈ જાય. તેમણે કહ્યુ કે ભારતનું હાલનું વલણ જમ્મુ કાશ્મીરની પરિસ્થિતિ સુધારશે નહિ.

ઈમરાને કહ્યુ હતુ નાના લોકો

ઈમરાને કહ્યુ હતુ નાના લોકો

ઈમરાને લખ્યુ, ‘ભારત તરફથી તેમની શાંતિ મંત્રણાની અપીલનો ઘમંડભર્યો અને નકારાત્મક જવાબ આપવામાં આવ્યો છે. આ વાતથી હું ઘણો નિરાશ છું. પરંતુ મારી આખી જિંદગીમા એવા નાના લોકોના સંપર્કમાં આવ્યો છુ જે મહત્વપૂર્ણ પદો પર બેઠા છે અને જેમની પાસે આગળની તરફ જોવાની દ્રષ્ટિ નથી.' સુષ્મા અને કુરેશીની મુલાકાત 27 સપ્ટેમ્બરે ન્યૂયોર્કમાં થવાનું નક્કી હતુ. ભારતના વિદેશ મંત્રાલય તરફથી શુક્રવારે વાતચીત રદ કરવા માટેનું અધિકૃત નિવેદન જારી કરવામાં આવ્યુ હતુ. વિદેશ મંત્રાલયે કહ્યુ હતુ કે, ‘પાકિસ્તાનનો એક ખરાબ એજન્ડા સામે આવ્યો છે અને સાથે ઈમરાન ખાનનો અસલી ચહેરો હવે દુનિયા સામે આવ્યો છે.'

આ પણ વાંચોઃ ઈઝરાયેલી મોડેલે ખોલી અનુપ જલોટાની પોલ, ડિનરમાં બોલાવી બળજબરીથી કરી કિસઆ પણ વાંચોઃ ઈઝરાયેલી મોડેલે ખોલી અનુપ જલોટાની પોલ, ડિનરમાં બોલાવી બળજબરીથી કરી કિસ

English summary
Pakistan PM Imran Khan says friendship offer to India should not be seen as weakness.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X