BRICS: વૈશ્વિક મંદી છતા કરોડો લોકોને ગરીબીમાંથી બહાર લાવ્યાઃ પીએમ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બ્રિક્સ બિઝનેસ ફોરમમાં ભાગ લેવા માટે બ્રાઝિલની રાજધાની બ્રાઝિલિયા પહોંચ્યા છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બ્રિક્સ બિઝનેસ ફોરમમાં ભાગ લેવા માટે બ્રાઝિલની રાજધાની બ્રાઝિલિયા પહોંચ્યા છે. આ દરમિયાન ફોરમને સંબોધિત કરતા પ્રધાનમંત્રીએ કહ્યુ કે દુનિયાની કુલ અર્થવ્યવસ્થાના વિકાસમાં 50 ટકા યોગદાન બ્રિક્સ દેશોનુ છે. તેમછતાં મંદીએ બ્રિક્સ દેશોને અર્થવ્યવસ્થાના વિકાસમાં યોગદાન આપ્યુ અને કરોડો લોકોને ગરીબીમાંથી બહાર લાવ્યા છે. પીએમ મોદીએ કહર્યુ કે હું બ્રાઝિલના રાષ્ટ્રપતિનો આભાર માનુ છુ કે જેમણે ભારતીયોને પોતાના દેશમાં વિઝા ફ્રી એન્ટ્રી આપવાનો નિર્ણ લીધો.
બ્રિક્સ બિઝનેસ ફોરમને સંબોધિત કરતા પીએમે કહ્યુ કે ભારતમાં રાજકીય સ્થિરત, અનુમાનિત નીતિ અને બિઝનેસ ફ્રેન્ડલી સુધારાના કારણે અહીં બિઝનેસ માટે દુનિયાનો સૌથી ઓપન અને બિઝનેસ ફ્રેન્ડલી માહોલ છે. પીએમ મોદીએ એક વાર ફરીથી કહ્યુ કે તે ભારતે પાંચ ટ્રિલિયન ડૉલરની અર્થવ્યવસ્થા બનાવવા ઈચ્છે છે માટે હું બધા દેશોને આમંત્રિત કરુ છુ કે તે ભારતમાં પોતાની હાજરી બનાવે અને વધારે. પીએમે કહ્યુ કે ટેકનિક અને શોધમાં નવી નવી સફળતાઓ મેળવી છે.
પ્રધાનમંત્રીએ કહ્યુ કે અમે પાંચ દેશો વચ્ચે ટેક્સ તેમજ કસ્ટમની પ્રક્રિયા ઘણી સરળ રહી છે, બિઝનેસ માટે અમારો માહોલ સારો બની રહ્યો છે. પીએમે સૂચન કર્યુ કે અમારી વચ્ચે વેપાર માટે પ્રાથમિકતાના ક્ષેત્રોને 10 વર્ષો માટે ઓળખ કરવામાં આવે અને એ આધારે સહયોગ માટે એક બ્લુપ્રિન્ટ તૈયાર કરવામાં આવે. આ ઉપરાંત પીએમે કહ્યુ કે આગામી બ્રિક્સ સમિટ સુધી જોઈન્ટ વેંચર્સ માટે પાંચ મહત્વના ક્ષેત્રોની ઓળખ કરવામાં આવે. આપણે સોશિયલ સિક્યોરિટી પર પણ ધ્યાન આપવાની જરૂર છે.
આ પણ વાંચોઃ શિવસેનાની સીએમ પદની માંગ પર અમિત શાહનુ પહેલુ રિએક્શન