ઘટસ્ફોટ! યુપીએ સરકારના કહેવા પર અમેરિકાએ મોદીને વિઝા નહતો આપ્યો!
હાલ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાના તેમના બીજા પ્રવાસ પર છે પણ એક સમય તેવો પણ હતો જ્યારે આ જ અમેરિકાએ તેમને વિઝા આપવાની ના પાડી દીધી હતી. નોંધનીય છે કે 2005માં આમ કરવામાં આવ્યું હતું.
ત્યારે અમેરિકાથી એક તેવા ખબર આવ્યા છે જે ચોંકવનારા છે. જાણીતા અર્થશાસ્ત્રી જગદીશ ભાગવતીએ એક ખાનગી ચેનલના ઇન્ટવ્યૂમાં જણાવ્યું છે કે યુપીએ સરકારના કહેવા પર વર્ષ 2005માં નરેન્દ્ર મોદીને અમેરિકા જવાનો વિઝા નહતો આપવામાં આવ્યો. નોંધનીય છે કે વર્ષ 2005માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતી અને તે અમેરિકામાં ભારતીય સમુદાયને સંબોધિત કરવા માટે જવાના હતા.

એટલું જ નહીં અર્થશાસ્ત્રી જગદીશ ભાગવતીએ જણાવ્યું કે આ વાત ભારતમાં મોદી સહિત અનેક લોકોને ખબર છે. કે તે સમયે મોદીના વિઝામાં કોણ અટકાવી રહ્યું હતું. જો કે તેમણે મોદીના વખાણ પણ કર્યા કે મોદીએ જૂની તમામ વાતોને ભૂલાવી દીધી છે અને તેમણે તેમની બન્ને મુલાકાતોમાં ક્યારે પણ એવો અણગમો કે બદલાની ભાવના વ્યક્ત નથી કરી કે તેમને આ દેશે વિઝા નથી આપ્યો!
નોંધનીય છે કે વર્ષ 2005માં વિદેશ વિભાગની તરફથી તેવું કાનૂન બનાવવામાં આવ્યું હતું કે જેમાં તેવા તમામ લોકોના વિઝા પર પ્રતિબંધ છે જે લોકો કોઇ પણ પ્રકારની ધાર્મિક ભાવનાને ભડકાવાનું અને તેના નામ પર હિંસા કરવા માટે દોષી હોય. જો કે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી એકલા તેવા વ્યક્તિ છે જેમના વિઝા પર અમેરિકાએ ત્યારે આ કારણે પ્રતિબંધ લગાવ્યો હતો.
-
અમેરિકાની જીદ ભારત સહિત આ દેશોને ભોગવવી પડશે? અર્થતંત્ર ખાડામાં જવાની ચેતવણી -
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં કમોસમી વરસાદનું સંકટ: બે સિસ્ટમ સક્રિય થતાં 4 એપ્રિલ સુધી માવઠાની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ










Click it and Unblock the Notifications
