Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ઘટસ્ફોટ! યુપીએ સરકારના કહેવા પર અમેરિકાએ મોદીને વિઝા નહતો આપ્યો!

હાલ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાના તેમના બીજા પ્રવાસ પર છે પણ એક સમય તેવો પણ હતો જ્યારે આ જ અમેરિકાએ તેમને વિઝા આપવાની ના પાડી દીધી હતી. નોંધનીય છે કે 2005માં આમ કરવામાં આવ્યું હતું.

ત્યારે અમેરિકાથી એક તેવા ખબર આવ્યા છે જે ચોંકવનારા છે. જાણીતા અર્થશાસ્ત્રી જગદીશ ભાગવતીએ એક ખાનગી ચેનલના ઇન્ટવ્યૂમાં જણાવ્યું છે કે યુપીએ સરકારના કહેવા પર વર્ષ 2005માં નરેન્દ્ર મોદીને અમેરિકા જવાનો વિઝા નહતો આપવામાં આવ્યો. નોંધનીય છે કે વર્ષ 2005માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતી અને તે અમેરિકામાં ભારતીય સમુદાયને સંબોધિત કરવા માટે જવાના હતા.

narendra modi

એટલું જ નહીં અર્થશાસ્ત્રી જગદીશ ભાગવતીએ જણાવ્યું કે આ વાત ભારતમાં મોદી સહિત અનેક લોકોને ખબર છે. કે તે સમયે મોદીના વિઝામાં કોણ અટકાવી રહ્યું હતું. જો કે તેમણે મોદીના વખાણ પણ કર્યા કે મોદીએ જૂની તમામ વાતોને ભૂલાવી દીધી છે અને તેમણે તેમની બન્ને મુલાકાતોમાં ક્યારે પણ એવો અણગમો કે બદલાની ભાવના વ્યક્ત નથી કરી કે તેમને આ દેશે વિઝા નથી આપ્યો!

નોંધનીય છે કે વર્ષ 2005માં વિદેશ વિભાગની તરફથી તેવું કાનૂન બનાવવામાં આવ્યું હતું કે જેમાં તેવા તમામ લોકોના વિઝા પર પ્રતિબંધ છે જે લોકો કોઇ પણ પ્રકારની ધાર્મિક ભાવનાને ભડકાવાનું અને તેના નામ પર હિંસા કરવા માટે દોષી હોય. જો કે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી એકલા તેવા વ્યક્તિ છે જેમના વિઝા પર અમેરિકાએ ત્યારે આ કારણે પ્રતિબંધ લગાવ્યો હતો.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X